________________
शालिभद्र महाकाव्यम्
BANAURU 8282828282828282828282828282
અતિશય રૂપવાન અને સૌભાગ્યવાન શાલિભદ્રને જોઇ શ્રેણિકની નજર ઠરી. શાલિભદ્ર રાજાને પ્રણામ કર્યા. રાજાએ તેને આલિંગીને પોતાના ખોળે બેસાડ્યો. તેના સમાગમથી શ્રેણિકને તો આનંદ થયો, પણ તે શાલિભદ્ર તો એકદમ અકળાઇ ગયો... તેની મૂંઝવણ કળી ગયેલી ભદ્રાએ કહ્યું : હે નાથ ! મારા પુત્રને હવે છોડી દો. દિવ્ય ભોગથી ટેવાયેલો આ મારો પુત્ર માણસોના શ્વાસથી પણ દુભાય છે. શ્રેણિકે તરત જ તેને છોડી દીધો અને તે તરત જ ઉપર જતો રહ્યો.
પછી ભદ્રાના આગ્રહથી શ્રેણિકે ત્યાં સ્નાન, વિલેપન વગેરે કર્યું. સ્નાન કરતાં તેની આંગળીમાંથી એકદમ વીંટી નીકળી ગઇ અને ઊછળતી-ઊછળતી પાસેના કૂવામાં પડી. રાજાનું મોં ફીકું પડી ગયું. રાજાનો ભાવ સમજી ગયેલી ભદ્રાએ દાસી દ્વારા યંત્રના પ્રયોગથી કૂવાનું પાણી ખાલી કરાવ્યું અને રાજાને તે કૂવો બતાવ્યો. રાજા તો એ વિસ્ફારિત નયને જોઇ જ રહ્યો. કૂવામાં ઝળહળતા અલંકારોના ઢગલામાં પોતાની વીંટી સાવ જ ઝાંખી લાગતી હતી. જાણે શહેરીઓ વચ્ચે એક ગામડીઓ ! પંડિતોમાં એક મૂર્ખ વ્યક્તિ ! રાજાએ દાસીને પૂછતાં તેણીએ કહ્યું : રાજન ! અનેક આશ્ચર્યમાંનું આ પણ એક આશ્ચર્ય છે. અમારા સ્વામી શાલિભદ્રનું આ બધું નિર્માલ્ય છે. તેઓ દરરોજ દેવે આપેલા નવા-નવા આભૂષણ ધારણ કરે છે અને જૂના અલંકારો આ કૂવામાં નાખી દે છે.
રાજાની આશ્ચર્ય-પરંપરામાં વધારો થવા લાગ્યો. ત્યાર પછી ભદ્રાએ રાજાને પરિવાર સહિત દેવનિર્મિત અદ્ભુત ભોજન કરાવ્યું અને પહેરામણીમાં દિવ્ય અલંકારો, માળાઓ, ગોશીર્ષ ચંદન, દિવ્ય વસ્ત્રો વગેરે આપ્યા. શાલિભદ્રની સમૃદ્ધિથી અત્યંત વિસ્મિત થયેલો શ્રેણિક રાજા પોતાના મહેલે પહોંચ્યો.
ARRARAUAYA8A828282828282828
// ઉo ||