SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 એમ કહીને વેપારીઓએ પોતાના રત્નકંબલો રાજાને બતાવ્યા. રાજાએ પૂછ્યું : “એની પરીક્ષા શી રીતે થઇ શકે ?” રાજન્ ! મહા મહિનાની રાત્રે થીજેલા ઘીનો ઘડો જો આ રત્નકંબલો વડે લપેટવામાં આવે તો ઘી ઓગળી જાય. ઊનાળાની બપોરે જો લપેટવામાં આવે તો ઘી થીજી જાય. આ રત્નકંબલ જેની પાસે રહે તે પુણ્યશાળીની લક્ષ્મી વધતી રહે છે.'' એમ ? એનું મૂલ્ય શું ?' ‘ઓછામાં ઓછું એક લાખ સોના મહોર !' આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયેલા રાજાએ કહ્યું : અધધધ... એક લાખ ? એક લાખ સોના મહોર કોને કહેવાય ? એક લાખ સોનૈયાથી જો હું હાથી, ઘોડા અને સૈનિકો વસાવું તો મને લડાઇમાં જીત મળે – મારું રાજય વિસ્તાર પામે. જયારે આ કાંબળા શા કામના ? અમે રાજાઓ તો બે જ બાબતોમાં લાખ સોનૈયા ખરચીએ : યાચકોમાં અને યુદ્ધમાં ! વસ્ત્રોમાં પૈસા ખર્ચી નાખવા તે શૃંગારપ્રિય વાણિયાને પરવડે. અમારું એ કામ નહિ.' રાજાની આવી વાતથી હતાશ થયેલા વેપારીઓ શાલિભદ્રના ભવને ગયા અને ભદ્રાને બધી વાત જણાવી. ભદ્રાએ કહ્યું : “મારે બત્રીશ રત્નકંબલો જોઇએ છે. છે તમારી પાસે ?” ‘અમારી પાસે તો માત્ર આઠ છે.' ‘આઠ તો આઠ. લાવો તમારા રત્નકંબલો.’ આમ કહીને ભદ્રાએ આઠે-આઠ રત્નકંબલો ખરીદી લીધા અને એકેકના ચાર કટકા કરી બત્રીશય પુત્રવધૂઓને પગ લૂછવાના રૂમાલ તરીકે આપી દીધા. પોતાના માટે એક પણ ARRARAUAYA8A82828282828282888 II 19
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy