________________
श्री
शालिभद्र महाकाव्यम्
waterpr
પત્નીઓનો વિલાપ :
શાલિભદ્ર મુનિની ધગધગતી શિલાને આલિંગન આપવાની ક્રીડા જોઇ વ્યાકુળ થયેલી તેમની પ્રિયતમાઓ વિલાપ કરવા લાગી. || ૯૭ ||
ઓ પ્રાણપ્રિય ! પ્રબળ પુણ્યથી પણ મળવા મુશ્કેલ ઓ સ્વામી ! ઓ રૂપથી કામદેવને પણ જીતનારા ! ઓ અમારા પ્રાણના પણ પ્રાણ. | ૯૮ ॥
માગનારાઓના પુણ્યથી ઇન્દ્રના ઘેર (સ્વર્ગમાં) કલ્પતરુ અવતરે તેમ અમારા પુણ્યથી આપ ગોભદ્ર શ્રેષ્ઠીના કુળમાં અવતર્યા છો. ॥ ૯૯ ॥
નહીં તો હે સ્વામી ! માનવ-લોકમાં એક કીડા જેવા તુચ્છ અમે ક્યાં ? અને સ્વપ્રમાં પણ દુર્લભ દિવ્ય ભોગ-સામગ્રી ક્યાં ? || ૧૦૦ ||
પરંતુ હે પ્રાણવલ્લભ ! હોંશિયારીની ખોટી ડંફાસ મારનારા નિઃસત્ત્વ અમે શું કહીએ ? કારણ કે સ્નેહરૂપી સોનાની કસોટીના સમયે (દીક્ષાના અવસરે) અમે ચણોઠી તરીકે જાહેર થયા. અર્થાત્ આપની સાથે અમે દીક્ષા ન લીધી. || ૧૦૧ ||
આપના અલંકારો સોનાના હોવા છતાં કૂવામાં પડતા હતા, તેમ અમે આપના મંગળરૂપ હોવા છતાં આપની સેવાથી ચૂકી ગયેલા સંસારના કૂવામાં પડીશું. || ૧૦૨ ||
TERRY
પ્રક્રમ-૭
॥ ૬ ॥