________________
પ્રક્રમ-૭
शालिभद्र महाकाव्यम्
BACA SUR 8282828282828282828282828282
પરાક્રમી આપે અતિદુર્ગમ મોહનો કિલ્લો ઓળંગ્યો છે. મારા જેવા કાયરોએ પણ અતિ પ્રૌઢ આપશ્રીનો આશ્રય લીધો છે. || ૨૦ ||
તો તરત જ સમિતિ-ગુક્તિરૂપ યુદ્ધ દ્વારા અંતરંગ-શત્રુઓ જીતાઇ ગયા ત્યારે આપણે બેઉનું દહીંના ભોજનથી | ‘વીરપાન' થયું. (યુદ્ધ થઇ ગયું હોય અથવા થવાનું હોય ત્યારે જે મધ વગેરેનું પાન કરવામાં આવે તે ‘વીરપાક' કહેવાય છે.) || ૨૧ ||
ભ. શ્રીમહાવીરદેવ પાસે શ્રીગૌતમ સ્વામીને આગળ કરીને (લગ્નમાં પુરોહિત બનાવીને) કષાયરૂપી શત્રુરાજાઓને હેઠે પાડી દઇને જય સુંદરી પરણી શકાય. // ૨૨ //
ધન્ય મુનિ આનંદથી બોલી ઊઠ્યા : હે સત્ત્વશીલ મુનિવર ! તમે ‘શાલિ (ચોખા) ક્યાંય ખંડાતો નથી.' એવી લોકોની વાત સાચી ઠરાવી છે. || ૨૩ //
પહેલા (ગૃહસ્થપણામાં) તમારા ગૌરવનું ખંડન કોઇથી થઇ શક્યું નહોતું અને હમણાં આંતર-શત્રુઓના પ્રહારરૂપ પરિષદો અને ઉપસર્ગોથી તમારા સંયમનું ખંડન થયું નથી. (ખરેખર તમે ‘શાલિ’ છો.) || ૨૪ /
ખરેખર ! શૃંગાર માટે કલ્પવૃક્ષોની ઉત્તમ માળાઓ વડે ક્રીડા કરવાથી તમારા મનના માન-સરોવરમાં ગૌરવ ગ્લાનિ પામ્યું નહિ. || ૨૫ //
સુવર્ણ-નિર્માલ્યના બહાનાથી ઘરમાં વારંવાર આવતી અશાશ્વત સ્વર્ગ-લથી તમે શાશ્વત લક્ષ્મી લેવા માટે છોડી દીધી. || ૨૬ |
828282828282828282828282828282828482
I
૬૬ |