________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
મુનિને ખીર આપવારૂપ દાન-ધર્મથી શરૂ થયેલું, દેવોમાં ઝળહળતી કાંતિવાળા ગોભદ્ર દેવ વડે વિશેષતા પામેલું, મંગળમય આ શાલિભદ્રનું જીવન.
બીજો અર્થ : શ્રી ધર્મકુમાર પંડિત દ્વારા રચાયેલું, પૃથ્વીમાં મંગળરૂપ (અથવા વાણીથી મંગળરૂપ) શ્રી વિબુધપ્રભ સૂરિની પ્રેરણાથી વિશેષતા પામેલું,
કચ્છ દેશમાં રહેલા શ્રી ભદ્રેશ્વર તીર્થમાં ભ.શ્રી મહાવીરસ્વામીના સાનિધ્યમાં રહીને રચાયેલું મંગળમય આ શાલિભદ્ર કાવ્ય ચતુર માણસોના કાનને સવારના ભોજન સમું બનો.
इयं कथा वृद्धकुमारिकेव, सदूषणा भूषणवर्जिताऽऽसीत् । प्रद्युम्नदेवस्य परं प्रसादाद्, बभूव पाणिग्रहणस्य योग्या ॥१/१५३
ઘરડી કુંવારી સ્ત્રી જેવી આ કથા કાવ્યના દોષોથી ભરેલી અને કાવ્યોના અલંકારોથી રહિત હતી, પણ પૂજય શ્રી પ્રદ્યુમ્ન મુનિની કૃપાથી તે હાથમાં પકડવાને યોગ્ય (વાંચવા લાયક) થઇ. (આ કાવ્યનું સંશોધન પ્રદ્યુમ્ન મુનિએ કર્યું છે.)
ગૌણાર્થ : મોટી ઉંમરવાળી કુમારી (અપરિણીત સ્ત્રી) કામદેવની કૃપાથી વિવાહને યોગ્ય બની.
આ બધા દષ્ટાંતો વાંચતાં લાગે કે ખરેખર કવિશ્રી શબ્દ કૌશલ્યના સ્વામી છે. ડગલે પગલે એમનું શબ્દ ચાતુર્ય વ્યક્ત થાય છે.
ધર્મકુમારની બુદ્ધિ વિષે તેમણે જાતે જ કહ્યું છે, તે ખરેખર યથાયોગ્ય જ છે, જરાય અતિશયોક્તિ વિનાનું જ છે. ધર્મકુમારની બુદ્ધિને દર્શાવતો સ્વરચિત શ્લોક આ રહ્યો :
82828282828282828282828282828282888
II
II