________________
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
ગૌણાર્થ : રોગરૂપી દોષના જાણકાર વૈદરાજને પણ છોડવું મુશ્કેલ મીઠા અને તેલથી યુક્ત આદુનું અથાણું તેણે કર્યું છે.
અહીં આદ્રક, દોષજ્ઞ, લાવણ્ય, સન્ધાન વગેરે શબ્દો દ્વિ-અર્થમાં કેવી સહજતાથી વણાઇ ગયા છે ? पार्थिवः सुरपुष्पौधः, प्रबुद्धोऽपि सदा चिरम् । तदङ्गसङ्गमं नाप, तस्य पुण्यमियत्कुतः ॥ ३/१०३
વિકસ્વર, પૃથ્વીજન્ય, ગોભદ્રદેવે મોકલેલા ફૂલોનો સમૂહ તેનો (શાલિભદ્રનો) સમાગમ સદા માટે પામી શક્યો નહિ. (બીજા દિવસે તે ફેંકી દેવાતા હતા.) તેનું આટલું ભાગ્ય ક્યાંથી ?
ગૌણાર્થ : વિદ્વાન શ્રેણિક રાજા પણ તેના શરીરનો સ્પર્શ લાંબાકાળ સુધી પામી શક્યો નહિ. (ખોળામાં બેઠેલો શાલિભદ્ર પ્લાન થઇ જતાં તરત જ શ્રેણિક રાજાએ તેને છોડી દેવો પડેલો.) તેનું આટલું પુણ્ય ક્યાંથી ?
राशेर्धनप्रसूनानां, मथने शिशिरे किल । सुमनःसु श्रियं प्राप, कुन्द एव मुकुन्दवत् ॥ २/१४९ ઘણા ફુલોના સમૂહનો નાશ કરનારી શિશિર ઋતુમાં ફલોમાં એકમાત્ર મચકંદનું ફલ જ મુકુંદની જેમ શોભા પામ્યું. ગૌણાર્થ : સમુદ્રનું મંથન થયું ત્યારે દેવોમાં માત્ર વિષ્ણુએ જ લક્ષ્મીને મેળવી. राजाज्ञा गृहगोधेव, हिंसा-ध्याने धुरन्धरा । अकस्मात् पतिता मूलि, मातः ! सन्तापसूचिका ॥ ५/११०
રાજાની આજ્ઞા તો ગરોળી જેવી છે. સદા હિંસાના ધ્યાનમાં જ રહેનારી છે. હે મા ! એ જો ઓચિંતી માથે પડે તો સંતાપની સુચક છે.
प्रस्तुतं दान धर्मेण, श्री शालिचरितं शुभम् । गोभद्रेण श्रीविबुध-प्रभेण तु विशेषितम् ॥ ७/१४८ श्रीमद्भद्रेश्वरे वीर-पादोपान्ते समर्थितम् । भूयात् सकर्णकर्णाना-ममृतप्रातराशवत् ॥ ७/१४९
82828282828282828282828282828282828
Ing