SearchBrowseAboutContactDonate
Page Preview
Page 565
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકમ-૬ शालिभद्र महाकाव्यम् 828282828282828282828282828282828288 જેણે પ્રાણાયામના અભ્યાસથી આત્મા સ્વસ્થ બનાવ્યો છે. જે બ્રાહ્મણના ત્રણ અગ્નિથી પણ અધિક બળવાન છે. જે ઇન્દ્રિયોની શક્તિ હણનારો છે. તે આ મુનિઓનો તપ ખરેખર હનુમાન છે. ગૌણાર્થઃ પિતા પવનંજયના સાંનિધ્યથી સ્વસ્થ આત્માવાળો, ત્રેતાયુગમાં અધિક બળવાન ગણાયેલો, રાવણના પુત્ર અક્ષનો વધ કરનાર આ હનુમાન છે. || ૧૦૬ || મુક્તિની અદમ્ય ઝંખનાથી દુર્બળ શરીરવાળા બે મુનિઓ ! જાણે મોહરૂપી હાથી પર ફાળ ભરવા સંકોચાયેલા બે સિંહ. || ૧૦૭ ||. મળથી મલિન થયેલા તેઓ તેવા લાગતા હતા, જાણે તેમના પાપનો કાદવ બહાર નીકળ્યો છે ! જાણે તેઓ સંયમ સુંદરીના આલિંગનથી ચોંટેલી કસ્તુરીથી અંકિત થયેલા છે. // ૧૦૮ // રસ્તામાં કામરૂપી ચોરનો ભય નહિ હોવાથી અથવા જવાનું થોડુંક હોવાથી તે મહાત્માઓ ઇયસમિતિપૂર્વક ધીરે-ધીરે સુંદર રીતે ચાલતા હતા. / ૧૦૯ || તેઓને ચાલતાં થતો હાડકાનો અવાજ, શું ઇન્દ્રિયરૂપી પૈડામાં થોડુંક તેલ ઊંજવાથી (નાખવાથી) ૧૮OOO શીલાંગથી ભરેલા શરીરરૂપી ગાડાનો ચિત્કાર છે ? || ૧૧૦ || સૂર્યના તેજ જેવો ઝળહળતો બાર પ્રકારનો તપ બાર વર્ષ સુધી કરીને બાર ભાવનાઓ ધારણ કરનારા, આઠેય મદથી રહિત, સમિતિ-ગુપ્તિમાં એક્કા, શાલિભદ્ર અને ધશા મુનિ ભ.શ્રી મહાવીર સ્વામી સાથે ફરી રાજગૃહ નગરમાં આવ્યા. // ૧૧૧ // ૧૧૨ //. 82828282828282828282828282828282888 || 9 ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy