________________
પ્રકમ-૬
शालिभद्र महाकाव्यम्
૪૮૪૪8 | 8282828282828282828282828282
તે શાલિભદ્રને જંગલમાં સંપૂર્ણ ભૂમિ પર છવાઈ ગયેલા, ખૂબ જ રાડો પાડનારા, ઊંચા મોંવાળા ભયંકર શિયાળો (તેમના અવાજો) પ્રિયતમાઓનું સુંદર સંગીત બનવા લાગ્યા. // ૯૫ //
નિર્દય ઘૂવડના ધૂત્કારો (અવાજો) તથા દુર્ગા ચકલીના ભયંકર અવાજો, મુક્તિમાર્ગના મુસાફર આ શાલિભદ્રમુનિને ચારેબાજુથી શુભને સૂચવનારા શુકન બનતા હતા. // ૯૬ ||
શાલિભદ્ર મુનિની બુદ્ધિ દોષોને દૂર કરનારી પ્રશમને ધરનારી, શ્રુત-અમૃતને પીનારી અને એકમાત્ર પરમાર્થને જ જોનારી હતી. || ૯૭ |
મુક્તિના શ્રેષ્ઠ આરાધક તે ધન્ના અને શાલિભદ્ર મુનિઓએ સંસારથી પાર ઊતારનારા, મનોદંડ આદિથી રહિત તપથી શરીરની સાતેય ધાતુઓને જલ્દીથી શોષી નાખી.
ગૌણાર્થ : બે સુવર્ણ-સાધકોએ આશ્ચર્ય છે કે દંડ વગરના પારાથી તાંબા વગેરે ધાતુઓનું પરિવર્તન કરી નાખ્યું ! || ૯૮ ||
પ્રચુર ભોજનના છ રસથી શરીરના સાતેય ધાતુઓ દીપ્ત થયા. તે ધાતુઓથી શૃંગાર વગેરે આઠેય રસો (નવમો શાંતરસ નહિ) દીપ્ત થયા. આથી ધશા અને શાલિભદ્ર મુનિઓએ (સર્વ અનર્થના મૂળ) ભોજનના છયે રસોનો ત્યાગ કર્યો. || ૯૯ //
રૂપ, કીર્તિ, ધન વગેરેની ઇચ્છાથી દૂર આ મુનિઓનું માસક્ષપણ (માસોપવાસ) જાણે આસક્તિથી લાગતા વિલાસના બિંદુથી રહિત બન્યું. (બિંદુ સહિત માસક્ષપણ-માંસની ક્ષીણતા.)
8A%A88888A YAUAAAAAAAA
// 99 II