________________
પ્રકમ-૬
शालिभद्र महाकाव्यम्
828282 8282828282828282828282828282
દેવે દીધેલા અમૃત-રસથી પણ જે ભવ્ય પ્રીતિ ન્હોતી થઇ તે પ્રીતિ તેને માત્ર નિર્વાહ કરનારા શાસ્ત્ર પ્રસિદ્ધ લૂખા-સૂકા અનાજથી થવા લાગી. || ૮૮ //
ઓલા શ્રેણિક રાજાની સુગંધથી પણ જે નાક દૂભાયું હતું, તે હવે સ્મશાનમાં મડદાઓની ગંધ સહન કરવા લાગ્યું, રોગી જેમ વિચિત્ર ગંધવાળી જડીબુટ્ટીઓનો ધુમાડો સહન કરે. (પૂર્વકાળમાં અમુક પ્રકારના ધુમાડાથી પણ રોગ મટાડવાનો રિવાજ હશે.) || ૮૯ //
મલિન શરીર-વસ્ત્ર વગેરે ધારણ કરવા દ્વારા આત્મકલ્યાણના સાધકે શાલિભદ્ર મુનિ દુર્ગધી માટીની ગંધથી ધાતુવાદીની જેમ ખુશ થવા લાગ્યા.
ગૌણાર્થ: ગંધક વગેરે પદાર્થોથી સુવર્ણસિદ્ધિ કરનારો ધાતુવાદી દુર્ગધી માટીના ગંધથી ખુશ થતો હતો. / ૯૦||.
દેવોના નાટક અને માનવોની નટીઓના નાચ વગેરે જોવાથી તેવી ટેવને પામેલી તેની આંખ પણ તેવી જ નાકરૂપી વાંસડા પર નાચનારી નર્તકી બની ગઇ-એમ હું માનું છું. યોગીઓ પોતાની આંખો નાસિકાના અગ્રભાગ પર સ્થાપિત કરતા જ હોય છે.) || ૯૧ ||
જેની આંખની પ્રીતિ માટે કપૂરની પૂતળીઓ જેવી બત્રીશ પ્રિયાઓ હતી તેના ખોળામાં મુનિપણામાં હરિણીઓ સંગાથી બની. || ૯૨ //
જેને સ્વામીની સત્તાને જણાવનારા ભદ્રા માતાના વચનો પણ તરત જ કાનમાં મસા જેવા પીડા-કારક લાગ્યા, તે શાલિભદ્રને હવે પર્યટનોમાં કડવા વેણ બેફામપણે બોલતી દાસીઓની ક્રોડો રાડોનું શ્રવણ પણ અમૃતની વાવડી જેવું લાગતું હતું. || ૯૩ | ૯૪ ||
8A%A88888A YAUAAAAAAAA
|
9
||