________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ફળ મળે છે-એમ હું માનું છું. || ૧૬૧ // આ પ્રમાણે કહીને વિશિષ્ટ બુદ્ધિવાળો ધન્નો લસલસતા વૈર્ય સાથે દીક્ષા માટે ચાલી નીકળ્યો. || ૧૬૨ ||
જેમ સત્ત્વને સિદ્ધિ અનુસરે, અભ્યાસ (પ્રયત્ન)ને કળા અનુસરે, પુણ્યને લક્ષ્મી અનુસરે, સૂર્યને તેજ અનુસરે તેમ હે નાથ ! કુલીન સતી સ્ત્રીઓ પતિને અનુસરે છે. || ૧૬૩ //
હે સ્વામી ! આપને અનુસરવાપૂર્વક અમે સાચું પતિવ્રતાવ્રત અને ઉગ્ર મુનિપણાનું વ્રત બંનેની આરાધના કરીશ. || ૧૬૪ || એ પ્રમાણે પ્રેમથી બોલેલી પરમ કલ્યાણકારી પ્રિયાઓને ‘બહુ જ સુંદર' એમ કહી ધક્ષાએ અભિનંદન આપ્યાં. || ૧૬૫ ||
મુક્તિ સુંદરીની ઉત્કંઠાથી અને ચારિત્રની ઇચ્છાથી કટાક્ષપૂર્વક જોવાયેલો, પૂર્વની પ્રિયાઓથી સેવાતો ધન્નો ભગવાન શ્રી મહાવીર દેવના આગમનની રાહ જોવા લાગ્યો. || ૧૬૬ ||
દિવ્યલક્ષ્મીથી પરિવરેલી વિલાસ-રસ ભરી ભોગસામગ્રીને આનંદના આંસુથી ભરેલી સુંદર આંખોવાળા શ્રી શ્રેણિકે જો ઇ. જાણે આંસુભરી આંખોવાળા ચકોર પંખીએ અંદર ઝેરવાળી સરસ રસોઇ જો ઇ-આ પ્રમાણે ગૌરવશાલી પુરુષોમાં અગ્રેસર શ્રીશાલિભદ્રે સંભાવના કરી.
(બહારથી સુંદર દેખાતી ભોગ સામગ્રીની અંદર મોહનું ઝેર છે. તેથી જ ચકોર જેવા શ્રેણિકની આંખમાંથી આંસુ નીકળ્યા ને ? ઝેરવાળી રસોઇ જોઇ ચકોર પક્ષીઓ રડતા હોય છે-આમ શાલિભદ્ર વિચાર્યું.) || ૧૬૭ //
| પાંચમો પ્રક્રમ સંપૂર્ણ છે.
828282828282828282828282828282828482
// ૬૬૬