________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ઓ પ્રાણનાથ ! જો આ સુંદર ચારિત્રની ચર્ચા સહેલી હોય તો ભોગના રસાલાને છોડી આપ જાતે જ કેમ તેની આરાધના કરતા નથી ? || ૧૫૫ //.
આ સાંભળીને પોતાને ધન્ય માનતો ધન્યકુમાર આનંદપૂર્વક બોલ્યો : ઓ કલ્યાણમયી પ્રિયે ! આનંદની વાત છે કે કલ્યાણકારી મારા ભાગ્ય જગતમાં જયવંતા વર્તી રહ્યાં છે. || ૧૫૬ ||
તમે શણગારનું વહન કરનારી, ગંભીર અને વિલાસ રસથી ભરેલી છો. જાણે મારા સત્ત્વથી જાતે જ ખેંચાઈ આવેલી તમે મારા માર્ગને બતાવનારી છો.
ગૌણાર્થ : તમે ગંભીર અને પાણીથી ભરેલી નદીઓ છો. જાણે મારા સત્ત્વથી જાતે જ ખેંચાઇ આવેલી મારા માર્ગને આપનારી બની છો. || ૧પ૭ ||
તો તમે સૌ સંસાર-સાગરના કિનારે પહોંચવા કારણ બન્યા છો ત્યારે હું દીક્ષા માટે જિનેશ્વરદેવની ઉપાસના કરીશ. / ૧૫૮ ||
આ પ્રમાણે પતિનું સ્નેહ રહિત વચન સાંભળીને પત્નીએ પ્રેમથી કહ્યું : મજાકથી ભરેલું વચન સુખને હણનારું નથી હોતું. || ૧૫૯ ||
ઓ પતિદેવ ! ધર્મ-અર્થ અને કામનું મૂળ, આપે જ લાલન-પાલન કરેલી નિરાધાર લક્ષ્મી અને પત્નીઓને આપ શી રીતે છોડશો. || ૧૬૦ ||
ભાગ્ય અને સૌભાગ્યના સારવાળી, સતી, ધર્મબુદ્ધિવાળી સ્ત્રીઓના ત્યાગથી જ ઉત્તમ-ફળ મળે છે અને ભાગ્ય અને સૌભાગ્યના સારવાળી ન્યાયમાર્ગે કમાયેલી, ધર્મ બુદ્ધિ પેદા કરાવનારી લક્ષ્મીના, દાનથી જ ઉત્તમ
ARRARAUAYA8A82828282828282888
||
૬
||