________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
BACA SUR 8282828282828282828282828282
રાજાનું એંઠું ખાવા મળે તોય છડીદારો રાજી થાય, પણ ‘શુક્લ’ જાતીય શુદ્ધ બ્રાહ્મણો તો ભક્તરાજાઓના આપેલા અન્નની પણ જુગુપ્સા કરે. // ૧૧૮ ||
સામાન્ય લોકો રાજાની નોકરી મળે તોય મોટે ભાગે રાજી થઇ જાય. પરંતુ ગોભદ્રના આ દીકરાએ તો રાજાના સત્કારને પણ અપમાન માન્યું. || ૧૧૯ //
બધાના જેવો જ સાધારણ સત્કાર લોકોત્તર પુરુષોને રોષ માટે થાય છે. જેમ સમભાવી દેવોની મૂર્તિમાં સામાન્ય અંગરચના તે દેવોને રોષ માટે બને. || ૧૨૦ ||
શરીરના બહારના ભાગમાં તો કરોડો માણસો સુકોમળ હોય છે, પરંતુ અપમાનરૂપી વજના પ્રહારોથી તેમનું હૃદય તૂટતું નથી. // ૧૨૧ //
શાલિભદ્ર તો બહારથી અને અંદરથી-બંને રીતે સુકોમળ છે. સ્વામી' શબ્દ સાંભળવાથી અંદર એનું મન દૂભાયું અને શ્રેણિકના શ્વાસથી બહાર એનું શરીર દૂભાયું. / ૧૨૨ /
હવે ચોખાના ક્યારાની ભૂમિ જેવી, આંસુથી છલકાતી આંખોવાળી, નિસ્તેજ બનેલી શાલિભદ્રની માતા આ પ્રમાણે બોલી. || ૧૨૩ ||
હાય ! હાય ! ક્ષયરોગ જેવા રાજાને હું શું કામ લાવી ? અને લાવી તો લાવી પણ વંટોળ જેવા અહિતકારી એ રાજાની જાણ શાલિભદ્રને શું કામ કરી ? || ૧૨૪ //
8A%A88888A YAUAAAAAAAA
| 9
||