________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
828282 8282828282828282828282828282
પોતાની જાતને જોરશોરથી જાહેર કરતો સ્વામીના હુકમનો કાગડો મારા મસ્તકને અડવાથી અમંગળ સૂચવે જ છે. || ૧૧૨ ||
દેવે મોકલેલી ચીજોની સુગંધના સ્વાદના લોભથી પણ મસ્તક પર રહેલી પદ્મનાગણ જેવી આ રાજસત્તા મારા મૃત્યુ માટે છે.
ગૌણાર્થ : ફૂલોની સુગંધના સ્વાદના લોભથી પણ મસ્તક પર રહેલી આ પદ્મનાગણ મારા મૃત્યુ માટે છે. | ૧૧૩ ||
આમ લક્ષ્મીની પાળ જેવા શાલિભદ્ર માતા પાસે પાપોના અસ્ત સમય સમો પોતાનો અભિપ્રાય પ્રગટ કર્યો. ||, ૧૧૪ ||
પગ પત્થરથી ઘસાય, તો પણ વધુ ચમકે છે. જયારે આંખને કોમળ વસ્ત્રનો છેડો લાગે તો પણ અત્યંત દૂભાય છે. || ૧૧૫ ||
આગમાં નાખ્યું હોય તો સોનાનું રૂપ વધુ ઝળહળે, પરંતુ મોતી તો ગરમ શ્વાસના સંપર્કથી પણ ઝાંખું પડી જાય. || ૧૧૬ ||
સામાન્ય કપડું, સાબુ, પત્થર અને ધોકાના ધબાકાથી ચોખ્ખું થઇ જાય પણ દેવદૂષ્ય (દેવતાઇ વસ્ત્રો તો માણસના સ્પર્શથી પણ દૂષિત થઇ જાય. / ૧૧૭ ||
82828282828282828282828282828282888
||
૪ ||