________________
પ્રકમ-૫
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ગૌણાર્થ : તું કેસરના ક્યારામાં કંકુનો ગુચ્છો છે. સ્વ-પરને લાલ બનાવનારો છે. તે લાલાશ-રહિતતા માટે કેમ બન્યો ? || ૭૩ ||
પુણ્યશાળીઓમાં ચક્રવર્તી, દિગ્ગજ તુલ્ય તું-પુત્રથી રહિત હું ઉત્તમ હોવા છતાં નિરાધાર છું. ગૌણાર્થ : સાર્વભૌમ નામના દિગ્ગજ પુત્રથી રહિત હું ઉત્તર દિશા હોવા છતાં નિરાધાર છું. || ૭૪ ||.
સૂર્યશા પતિ વિના સારા નક્ષત્રે જન્મેલી હોવા છતાં સ્ત્રી આકાશની જેમ તેજ વગરની હોય છે, પરંતુ કંઇક કળા જાણનાર પુત્રરૂપી ચંદ્રથી તે શોભે છે.
ગૌણાર્થ : સૂર્ય વિના સુંદર નક્ષત્રોવાળું આકાશ પણ નિસ્તેજ હોય છે, પરંતુ કંઇક કળાવાળા પાંચમ-છઠ્ઠના ચંદ્રથી તે શોભે છે. || ૭૫ //.
સાકર સારી છે, છતાં પાનમાં ન શોભે. વરસાદ સારો છે, છતાં ચૈત્ર મહિને ન શોભે. તેમ વત્સ ! વૈરાગ્ય શ્રેષ્ઠ છે, પણ નવ-યૌવનમાં ન શોભે. || ૭૬ ||
બેટા ! પિતાના ભોગ અને ત્યાગના બે પ્રકારના ક્રમ વડે ચાલતો પ્રામાણિક પુત્ર જ પુત્રોમાં પ્રશસ્ત ગણાય છે અને ક્રમથી ચાલી આવતી વિધિ-પરંપરા આ છે. // ૭૭ ||
હે પુત્ર ! તું ઉભયપદી ધાતુ જેવો મનુષ્ય અને દેવના ભોગોનું સ્થાન છે. તેથી ઓ મીઠાબોલા બાલ ! તારે આ લોક અને પરલોક બંને સાચવવાના છે.
828282828282828282828282828282828482