________________
પ્રકમ-૪
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ગૌણાર્થ : અમે તો ઘોડાને પ્રિય જવ છીએ. સ્થાનભ્રષ્ટ થયેલા અમે દળવા વગેરેનાં દુ:ખો સહન કરીએ છીએ, પરંતુ સર્વ ધાન્યોમાં ચોખો કદી ખંડાતો નથી. || ૧૬૬ //.
ના... ના... ખોટી વાત નથી. પ્રશસ્ત લક્ષ્મીપતિઓમાં શિરોમણિ આ શાલિભદ્ર જ છે, જેના પુણ્યની સ્પૃહા મારા જેવા રાજાઓ પણ કરે છે.
ગૌણાર્થ : ના... ના.. ખોટી વાત નથી. ધાન્ય-લક્ષ્મીઓમાં શિરોમણિ આ ચોખો જ છે, જેના પવિત્ર કણની ઇચ્છા પોપટરાજ પણ કરે છે. જે ૧૬૭ //
તેથી, જેમ જિનમૂર્તિનાં દર્શનથી કૃતાર્થતા થાય, તેમ શાલિભદ્રનાં અણધાર્યા દર્શનથી મારી પણ કૃતાર્થતા થઇ-એમ હું માનું છું. // ૧૬૮ /
હવે આ પ્રમાણે ભદ્રાએ, કલ્પવૃક્ષનાં મધુર ફળોથી, અમૃતના મિશ્રણ સમા દેવનિર્મિત ભોજનોથી, અગ્નિથી પાકેલાં, ધુમાડાથી પાકેલાં, સૂર્યથી પાકેલાં અને સૂર્ય-અગ્નિથી પાકેલાં ભોજનોથી, નવા દિવ્ય અલંકારોથી, માળાઓથી, ગોશીર્ષ ચંદનથી તેમજ વસ્ત્રોથી, શહેરમાં આવેલા મારવાડી ગામડીયાની જેમ આશ્ચર્ય અનુભવતા વિસ્મિત થયેલા રાજાને પરિવાર સહિત સંતોષ આપ્યો. // ૧૬૯ || ૧૭૦ || ૧૭૧ //
શ્રેણિકનું સ્વસ્થાનમાં ગમન :
ઉન્નત આનંદની રચનાની નદીના પૂરની ગરિમામાં જેનું હૃદય તરી રહ્યું હતું, તે મગધસમ્રાટ શ્રીશ્રેણિક મહારાજા , પછી તરત જ પર્વતના શિખર જેવા, પોતાના ઊંચા મહેલમાં પહોંચ્યા. / ૧૭૨ /
828282828282828282828282828282828482