________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
કાવ્યમાં અર્થ, પરશુદ્ધિ, રીતિ, ઘટના, નવીનતા વગેરે હોવા ઉપરાંત રસ પણ જોઇએ." જો એ ન હોય તો બધું નકામું ! અરે ! એકાદ દોષ પણ કાવ્યને દૂષિત કરવા પૂરતો છે. મુખ પર કોઢનો એક જ ડાઘ રૂપને બગાડવા પૂરતો છે.”
નવીન વિષય, ગ્રામીણતાનો અભાવ, સરળ શ્લેષ, સ્પષ્ટ રસ, સુંદર પદશ્રેણિ આ બધું એક જ જગ્યાએ મળવું ઘણું જ દુર્લભ હોય છે.
એક કાવ્ય બનાવતાં પરિશ્રમ કેટલો થતો હશે ? કવિ સિવાય એ કોણ જાણી શકે? વાંઝણી સ્ત્રી પ્રસૂતિની પીડા શું જાણે ?
કાવ્ય શા માટે ? કાવ્ય રચના આનંદ, યશ અને કાન્તા સમ્મિત ઉપદેશ માટે કરવામાં આવે છે. ૮ ઉપદેશ આપવાની ત્રણ પદ્ધતિ છે : (૧) પ્રભુ સમ્મિત (૨) મિત્ર સમ્મિત અને (૩) કાન્તા સમ્મિત.
828282828282828282828282828282828482
अर्थोऽस्ति चेन्न पदशुद्धिरथाऽस्ति सापि, नो रीतिरस्ति यदि सा घटना कुतस्त्या । साप्यस्ति चेन्न नववक्रगतिस्तदैतद्, व्यर्थ विना रसमहो गहनं कवित्वम् ।। - मंखक (काश्मीरी पण्डितः) तदल्पमपि नोपेक्ष्य, काव्यं दुष्टं कथञ्चन । स्याद् वपुः सुन्दरमपि, श्वित्रेणकेन दुर्भगम् ॥ - दण्डिकृत-काव्यादर्शः १/७ नवोऽर्थो जातिरग्राम्या, श्लेषोऽक्लिष्टः स्फुटो रसः । विकटाक्षरबन्धश्च, कृत्स्नमेकत्र दुर्लभम् ॥ - बाणभट्टः काव्यमानन्दाय यशसे कान्तातुल्यतयोपदेशाय च । - हेमचन्द्रसूस्कृित काव्यानुशासनम् १/१
८.
II,