SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ शालिभद्र महाकाव्यम् BACA SUR 8282828282828282828282828282 પણ આવા મહાન કવિઓ કોઇના બનાવ્યા બનતા નથી, એ જન્મે છે. પોતાની જન્મજાત પ્રતિભાના કારણે એ કવિ બને છે. કાવ્ય કંઇ એમને એમ બનતા નથી. એના માટે અમુક સહજ યોગ્યતા જોઇએ. એ યોગ્યતાનું નામ પ્રતિભા છે.' બાહ્ય કારણો પણ તો જ મદદ કરી શકે જો માણસમાં પ્રતિભા હોય. જો માણસમાં પ્રતિભા જ ન હોય તો બાહ્ય હજાર પ્રયત્નોથી પણ એ કાવ્યનું સર્જન કરી શકે નહિ. બી જ જો સેકાઈ ગયેલું હોય તો અમૃતના સેંકડો ઘડા સિંચવાથી પણ તે કદી વૃક્ષ બની શકે નહિ. જન્મજાત પ્રતિભાને પણ વ્યુત્પત્તિ અને અભ્યાસથી સંસ્કારિત કરવી પડે છે. ૨ લૌકિક વ્યવહાર, શાસ્ત્રબોધ અને કાવ્યગ્રંથોના પરિશીલનથી પ્રાપ્ત થયેલી નિપુણતા વ્યુત્પત્તિ કહેવાય છે અને કાવ્યવેત્તાઓના શિક્ષણ પ્રમાણે ફરી-ફરી કાવ્યોનું પરિશીલન કરવું તે અભ્યાસ કહેવાય છે. આમ કવિ તરીકેની યોગ્યતામાં ઘણું ઘણું જોઇએ છે. ઘણી બધી વસ્તુઓનો સમન્વય થાય ત્યારે એક કાવ્યનું નિર્માણ શક્ય બને છે. સ્વસ્થતા, પ્રતિભા, અભ્યાસ, ભક્તિ, વિદ્વત્કથા, બહુશ્રુતતા, સ્મૃતિ અને ઉત્સાહ આ આઠ કવિત્વની માતાઓ છે.* ૨. ufariડથ (RTA) હેતુઃ - શ્રdષNTળાનુણTrણનમ્ ૨/૨ ૨. વન્યથાતથ (પ્રતિભા) સંશો - માવ્યાનશાસનમ્ ૨/૪ ३. शक्तिनिपुणता लोक-शास्त्र काव्याद्यवेक्षणात् । काव्यज्ञशिक्षयाभ्यास, इति हेतुस्तदुद्भवे ॥ - मम्मटकृत काव्यप्रकाशः १/३ ४. स्वास्थ्यं प्रतिभाभ्यासो, भक्तिर्विद्वत्कथा बहुश्रुतता । स्मृतिदायमनिर्वेदश्च, मातरोऽष्ठी कवित्वस्य ॥ 82828282828282828282828282828282888 II,
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy