________________
પ્રક્રમ-૪
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
શ્રેણિકને પોતાને ત્યાં પધારવા ભદ્રાની વિનંતી :
તેથી તે સ્વામી ! અમૃત જેવા ઊજળા, લક્ષ્મીના કારણ, મહામહિમાના ઉદયવાળા અમારા મહેલમાં આપી સ્વયં પધારો.
ગૌણાર્થઃ તેથી હે નાથ ! અમૃત જેવી ઊજળી, લક્ષ્મીનું કારણ, મહામહિમાના ઉદયવાળી કૃપા આપ કરો. // ૮૬ //.
હે રાજન ! આપ જરા થોભો, મારા પોતાના ઘરના ઉત્સવની જેમ આખો રસ્તો તરત જ ઉત્સવમય બનાવી દઉં ! // ૮૭ |
આ પ્રમાણે પ્રભાવશાળી વચનો કહીને ભદ્રાએ ગોભદ્ર દેવ મારફત હરિશ્ચંદ્રની સૌભ નગરી જેવી રમણીય બજારની શોભા કરાવી. || ૮૮ ||
માણેક રત્નોની શિલાઓથી શોભતી અને તરત જ માર્ગો દ્વારા સજજ થયેલી ગોશીર્ષ ચંદનની કાંતિવાળા બિંદુઓને ધારણ કરતી ધરતી શોભવા લાગી. || ૮૯ |
પારિજાત, મંદાર વગેરે કલ્પવૃક્ષોના ફૂલોથી બનેલાં ઘરોની શ્રેણિ શોભી રહી હતી. જાણે પૃથ્વીમાં ચંદ્ર જેવા શાલિભદ્રનું આકાશમાં ઊંચે ઊડવાની ઇચ્છાવાળું કીર્તિ મંડળ શોભી રહ્યું હતું. | ૯૦ //
વિશાળ દેવદૂષ્યોના ચંદરવા શોભવા લાગ્યા. જાણે આવનારી દેવતાઇ લક્ષ્મીની અયાનની ધજાઓ જોઇ લો. || ૯૧ ||
8282828282828282828282828282828282
I ૬૨૨ |