________________
પ્રક્રમ-૪
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
નાવિક જેવા જૂના રત્નકંબલો વિલાસની નદીસમી ચેલ્લણા દેવીનો મોટા ગ્રાહ જેવો રત્નકંબલો માટેનો આગ્રહ દૂર કરો. અર્થાત્ ભદ્રા પાસેથી ચલ્લણા માટે આપ જૂના રત્નકંબલો લઇ લો. || ૭૧ ||
પોતાને યોગ્ય આવું અર્થવાહી-સાર્થક કાર્ય (જૂના રત્નકંબલો આપવાનું કાર્ય સાર્થવાહી ભદ્રાએ સ્પષ્ટ રીતે કહ્યું છે-એમ રાજાએ ચેલણાને કહ્યું ત્યારે તે બોલી. || ૭૨ //
હું તો સાહિત્ય વિદ્યા જેવી છું. શણગાર મને પ્રિય છે. ફાટેલી-તૂટેલી ગોદડી જેવા જૂના રત્નકંબલોથી મારે શું કામ છે ?
ગૌણાર્થ : હું શૃંગાર રસથી હૃદયંગમ સાહિત્ય-વિદ્યા છું. માથા વગરની-ઠેકાણા વગરની (તર્કવિચાર રહિત) પુરાણ કથાઓથી મારે શું કામ છે ? || ૭૩ |
આત્મ-કલ્યાણ માટે પણ લોભીઓ માણસ (દાનાદિથી) પરલોકનું ભાથું ન લે તેમ, શત્રુઓને માટે ભયંકર હે સ્વામી ! આપે પણ આત્મીયજન માટે પણ એક રત્નકંબલ સુદ્ધા લીધું નહિ. / ૭૪ || - હે સ્વામી ! ક્યાં જગતના જીવો માટે ઔષધરૂપ મેઘ અને ક્યાં (ખારો) મહાસાગર ? ક્યાં મલય પર્વત અને ક્યાં નહિ દેખાતો મેરુપર્વત ? ક્યાં માનવ-અવતાર અને ક્યાં ઇન્દ્રની પદવી ? ક્યાં આંબાનું ઝાડ અને ક્યાં સુદર્શન નામનો પેલો જંબૂવૃક્ષ ? ક્યાં સર્વ રીતે સૌભાગ્યના વિસ્તારવાળો શાલિભદ્રનો વૈભવ અને ક્યાં અભિમાનના જ સુખવાળો આપનો રાજય-વિસ્તાર ? || ૭૫ // ૭૬ કે ૭૭ //
ARRARAUAYA8A82828282828282888
| ૨૦ |