________________
પ્રક્રમ-૪
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
તો પણ મહારાણી શ્રી ચેલ્લણાના મનને પ્રિય કાર્ય હું કરીશ. કારણ કે પહેલાં પણ મેં તેની એકથંભીઆ મહેલની ઇચ્છા પૂરી કરી હતી. // પ૭ //.
આમ વિચારી શ્રેણિકે રત્નકંબલ લેવા માટે ભદ્રા પાસે પ્રતિહારીને મોકલ્યો. જેમ પવન, પાણી માટે સમુદ્ર તરફ વાદળને મોકલે. / ૫૮ ||
ત્યાં આવીને પ્રતિહારીએ શ્રીશાલિભદ્રની માતા ભદ્રાને કહ્યું : હે કલ્યાણી ! ઇન્દ્રના હુકમ જેવા મહારાજા તમને હુકમ આપે છે. || પ૯ છે.
રત્નની જેમ રત્નકંબલ જો કે અમૂલ્ય હોય છે, તો પણ ચલ્લણા દેવીને પ્રિય છે માટે તે આપો. ગ્રહશાંતિવિધિમાં દેવીને જેમ બલિ (બાકળા) અપાય. // ૬૦ //.
લક્ષ્મી જેવી પ્રસન્ન મુખ-મુદ્રાવાળી ભદ્રાએ તે પ્રતિહારીને કહ્યું : સ્વામીની આજ્ઞામાં કિંમત કે ચિત્તની પ્રતિકૂળતા જોવાય નહિ. // ૬૧ ||
પરંતુ જેમ ગાડાના બળદો દેવને યોગ્ય સોનાનો પટ્ટો મેળવી શકે નહિ, તેમ મોડેથી આવેલો તું ઇષ્ટ રત્નકંબલ મેળવી શકીશ નહિ ! || દુર ||
કારણ કે, આવતાંની સાથે જ તે રત્નકંબલોને મેં પુત્રવધૂઓ માટે સરળ ભાવે ફાડી નાખ્યા. જેમ દીવાના ઘર (ફાનસ) માટે અભરખના પડને તોડીએ. (પૂર્વ કાળમાં ફાનસમાં કાચના સ્થાને અબરખ વપરાતા હશે.) / ૬૩ //
82828282828282828282828282828282888
/ ૪૬૮ ||