________________
श्री
शालिभद्र
महाकाव्यम्
KHAK
ઓ લક્ષ્મીના નિવાસરૂપ રાજન્ ! બહુમાનનું સ્થાન રત્નકંબલ મારા માટે બળપૂર્વક અને વટપૂર્વક લાવી આપો, ભલે આપને સંમત ન હોય. || ૫૦ |
હવે લાખ સોનૈયા ખર્ચવા કટિબદ્ધ બનેલા રાજાએ તરત જ દેખાવથી સરળ પણ વેપારીમાં ભેદ પડાવનાર શીઘ્રગામી એક માણસને ત્યાં મોકલ્યો. | ૧૧ ||
તેણે પ્રયત્નપૂર્વક વેપારીઓને કહ્યું : મંત્ર જેવા અતિદુર્લભ રત્નકંબલોને રાજા હવે ઉલ્ટાના માંગી રહ્યા છે.
|| ૧૨ ||
વેપારીઓએ કહ્યું : ચંદ્ર જેવા રાજા વડે અનાદર પામેલા કમળ જેવા રત્નકંબલો સૂર્ય-પ્રભા જેવી શાલિભદ્રની માતા ભદ્રાએ સ્વીકારી લીધા છે. (કમળ સૂર્ય ઊગતાં ખીલે છે અને ચંદ્ર ઊગતાં-રાત્રે કરમાઇ જાય છે. આથી અહીં રત્નકંબલને કમળની, ભદ્રાને સૂર્યપ્રભાની અને રાજાને ચંદ્રની ઉપમા આપેલી છે.) ॥ ૫૩ ||
તે પુરુષે આવી રાજાને જ્યારે આ બાબત જણાવી ત્યારે વિસ્મિત અને સ્મિતયુક્ત થયેલો રાજા આ પ્રમાણે વિચારવા લાગ્યો. ॥ ૫૪ ||
ન
સાર અને તેજ ન હોવા છતાં થોરને ‘મહાતરુ’ (મોટું ઝાડ) અને અગ્નિને ‘બૃહદભાનુ' (મોટો સૂરજ) કહેવામાં આવે છે. તેમ અમે નામથી જ ‘નરદેવ’ (માણસોમાં દેવ જેવા) છીએ, કામથી નહીં. ॥ ૫૫ ||
પહેલાં મેં જ્યારે રત્નકંબલ ન લીધા ત્યારે લોકોએ મને લોભી ધાર્યો. અને હમણાં જ મેં તે લેવા ઇછ્યા ત્યારે હું બાયલા (સ્ત્રીથી જીતાયેલો) તરીકે જાહેર થયો. || ૫૬ ||
| CERERE
Baala.
પ્રક્રમ-૪
॥ ૪૬૭ ॥