________________
પ્રક્રમ-૪
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ત્યાર પછી તે મહામૂલા રત્નકંબલો વેપારીઓએ રાજાને બતાવ્યા. જેમ કવિઓ પોતાના ગ્રંથો વિદ્વાનને બતાવે. | ૧૨ / ૧૭ || ૧૪ ||.
રત્નકંબલ જોઈ તરત જ ન્યાયનો સાગર રાજા બોલ્યો : ઓ ચતુર પુરુષો ! આ રત્નકંબલોની પ્રત્યક્ષ કોઇ પરીક્ષા પણ થઇ શકે ? || ૧૫ //
વેપારીઓ બોલ્યા : મહા મહિનાની રાતે આ રત્નકંબલથી આલિંગિત થયેલો ઘીનો ઘોડો પણ ઓગળી જાય, જેમ ચક્રવર્તીની પટરાણી (સ્ત્રીરત્ન)થી લોઢાનો પૂતળો ઓગળી જાય. || ૧૬ //
યુક્તિપૂર્વક રાખેલા આ રત્નકંબલથી ભયંકર ઊનાળામાં ધોમધખતા બપોરે ઘીનો ઘડો થીજી જાય. જેમ સિદ્ધકલ્ક (?) થી રસ થીજી જાય. / ૧૭ ||
આ રત્નકંબલ પુણ્યશાળીઓને ભોગ સુખોની વૃદ્ધિ માટે થાય છે. જેમ ભૂકુટિની વચ્ચેના આવર્તમાં રહેલું, ઊન જેવા રૂંવાટાવાળું લક્ષણ ભોગ-વૃદ્ધિ માટે થાય. || ૧૮ ||
‘આ રત્નકંબલોની શું કિંમત છે ?' એમ રાજાએ પૂછ્યું ત્યારે તેઓ બોલ્યા : હે રાજન્ ! આની ઓછામાં ઓછી કિંમત એક લાખ સોનામહોર જાણકારો કહે છે. જે ૧૯ //.
આ પ્રમાણે તેમની વાત સાંભળીને વિસ્મિત મનવાળો રાજા વેપારીઓને કહેવા લાગ્યો : તમે મારો વિચાર સાંભળો. || ૨૦ ||
828282828282828282828282828282828282