________________
પ્રક્રમ-૩
शालिभद्र महाकाव्यम्
828282 8282828282828282828282828282
મોજાઓથી ચંચળ બન્યો. ખરેખર ઊનાળો થોડા પાણીવાળા તળાવોને ભયંકર હોય છે, પણ સાગરને નહિ. (તુચ્છ લક્ષ્મીવાળા ગરીબોને ઉનાળો ભયંકર, પણ શાલિભદ્ર જેવા શ્રીમંતને નહિ.) || ૧૩૨ / ૧૩૩ ||
વર્ષા ઋતુનું વર્ણન :
વીજળીના પ્રકાશથી આખું જગત જોઇ વાદળાઓ ગર્જનાઓ દ્વારા જાણે જણાવી રહ્યા છે : “આ દુનિયામાં શાલિભદ્રથી સુંદર બીજો કોઇ નથી. / ૧૩૪ ||
પર્વતોમાંથી કિનારાઓ તોડતી નદીઓ પેદા થવા લાગી. જાણે દિશાઓના કિનારાઓ તોડતી શાલિભદ્રની કીર્તિઓ જોઇ લો ! || ૧૩૫ /
સદા કાળા અગરના ધૂમાડાથી શ્યામ બનેલા આકાશવાળી, જલકાંત મણિથી બનેલી, મહેલની ગગનચુંબી આગાશી પર. વીજળી જેવી ચમકતી પ્રિયતમાઓ વડે પરિવરેલો ઉદાર આ શાલિભદ્ર મેઘ જેવો અતિદર્શનીય બન્યો. // ૧૩૬ // ૧૩૭ //
છયે ઋતુઓનું વર્ણન :
ઊડવાથી થતા પુષ્કળ સુસવાટાના સૂચનરૂપ હંસના પીછા પડવાથી પંખ (બાણનો પાછળનો ભાગ ‘પંખ' કહેવાય છે.) ના સુસવાટની સુચનારૂપ બાણના પીછા પડવાથી શરદ ઋતુને, આ શાલિભદ્ર કામસુભટના બાણ જેવી માનતો હતો. (વરસાદ પૂરો થાય ત્યારે હંસો ઊડે તેથી પીછા ખરે અને રાજાઓ લડે તેથી પંખ ખરે એટલે આવી કલ્પના કરેલી છે.) || ૧૩૮ ||
828282828282828282828282828282828482
/ ૪૦૬ ||