________________
પ્રક્રમ-૩
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
ધાતુવાદી જેવી વસંત ઋતુએ મલયાચલ પવનના સૂસવાટા વડે કાચ કળશ (ખાર રાખવાનો ઘડો) જેવા કામને શું રસ-પાત્ર (પારો રાખવાનું પાત્ર) બનાવ્યો ? (ધાતુવાદી પણ અગ્નિ સળગાવવા ફંકો મારતા હોય છે. મલયાચલના સુસવાટા-ફૂત્કાર તે ટૂંક સમજવી.) || ૧૨૬ ||.
આ વસંતઋતુ નોળીઆ જેવા બકુલ વૃક્ષોથી ભોરીંગ જેવા વેશ્યાગામી લોકોને ડરાવતી હતી અને વશીકરણના તિલક જેવા તિલક વૃક્ષોથી સ્ત્રીઓને વશ કરતી હતી. || ૧૨૭ છે.
યુવક-યુવતીની પરસ્પર સૂચના (સંકેત) રૂપી સોયથી જે કેવડો, પરોવાયેલા દોરા જેવા સુગંધ વગેરે ગુણોથી યુવક-યુવતીના મન પરસ્પર સીવે છે (જોડે છે) તે કેવડાએ કયા માણસોને રજોભાવથી-રાગભાવથી (પરાગથી) લિપ્ત ન કર્યા ? || ૧૨૮ ||.
કોયલોનો એકધારો મીઠો ટહુકાર, કામદેવરૂપી શિકારીના સંગીતની કળાને પામતો હતો. મેં ૧૨૯ ||
ભમતા ભમરાઓના રણકારવાળી ઉત્તમ વૈડૂર્ય રત્નોની બનેલી બંગળીઓવાળી વનશ્રેણી, આંબાની મંજરીના હાથથી જાણે નાચતી હતી. | ૧૩૦ ||
ગ્રીષ્મ ઋતુનું વર્ણન :
ગ્રીષ્મઋતુમાં શાલિભદ્રના વિશાળ લાવણ્યના દર્શનથી જાણે રોમાંચિત થયેલા કદંબ વૃક્ષોના ઝૂંડ, ફૂલોના સમૂહથી શોભતા હતા. || ૧૩૧ //
ચંદ્રકાન્ત-શિલાકાન્ત વગેરે રત્નોથી બનેલી આગાશીમાં લહેર કરતા, ચાંદની જેવા ચમકતા સુંદર કપડા પહેરનારા, કપૂરના ચૂર્ણથી યુક્ત દેહની કાંતિવાળા શાલિભદ્રના સુખનો અમૃત સાગર (ઊનાળામાં પણ) ઊછળતા
8A%A88888A YAUAAAAAAAA
// ૬o, I