________________
પ્રક્રમ-૩
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282
દેવતાઈ આભૂષણો આપ્યા, જાણે શાલિભદ્રના ભાગ્યરૂપી સૂર્યના ચમકતા કિરણો આપ્યા ! જાણે ચંદ્રના કિરણોથી વણેલાં નિર્દોષ દેવતાઇ વસ્ત્રો આપ્યા. ગોશીષ ચંદનના વિલેપનો આપ્યા. કલ્પવૃક્ષના ફૂલોની માળા આપી. જાણે અત્યંત ખુશ થયેલા ત્રાયન્નિશ દેવોએ મોકલેલા ચાર પ્રકારના ૩૩ અલંકારો આપ્યા. // ૮૪ || ૮૫ || ૮૬ // ૮૭ .
જયાં સુધી પુત્રની માતા જીવતી હોય છે, ત્યાં સુધી ભાગ્યે જ કોઇ પિતા પુત્રના કાર્યો કરનારો હોય છે. કારણ કે તેને પરમાર્થથી પત્ની જ પ્રિય હોય છે, પણ પુત્ર નહિ. || ૮૮ ||
સામાન્ય લોકોમાં દીકરાને પરણાવી બાપ સુખે સૂઈ જાય છે. એમના મનમાં લોકલજજા જ કારણ હોય છે. પણ પુત્ર પર પ્રેમ નથી હોતો. || ૮૯ ||
કોઇક બાપ સંપત્તિનો ભાગ વહેંચાય ત્યાં સુધી પ્રેમાળ હોય છે. પછી તો જુદા થયેલા પુત્ર વિષે બાપ જે બોલે છે તે આપણાથી તો) બોલી પણ ન શકાય. || ૯૦ ||
કોઈ વિરલ જ સરલ પુણ્યવાન પિતા હોય છે, જે ધર્મની જેમ જીવનપર્યત પુત્રના કાર્યોનો પોષક હોય છે. || ૯૧ //.
નીતિના ધન સરખા પુત્ર માટે, કામથી નહિ કંપેલા કોઇક પિતા હોય છે, જે અનીતિ સરખી બીજી પ્રિયાને પરણતા નથી. // ૯૨ //
કોઇક પિતા, પુત્ર માટે પોતાના પ્રાણોને તણખલાની જેમ છોડી દે છે. જેમ રામના વિરહમાં દશરથ રાજાએ પ્રાણ છોડી દીધા હતા. (લૌકિક રામાયણની અપેક્ષાએ આ વાત સમજવી.) | ૯૩ //
8A%A88888A YAUAAAAAAAA
/ ૬૬i