________________
પ્રક્રમ-૩
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
ગૌણાર્થ : હું શત્રુઓની ચિંતા કરનારો અને યુદ્ધનો અભ્યાસી છું. મારી શત્રુઓની જીતવાની ઇચ્છા તો સફળ થશે, જો તું આપણા દેશનું તંત્ર સંભાળી લે. || ૫૦ ||
તેથી હે ધીરોમાં અગ્રેસર ! મારા કુળના ભારને તું સંભાળી લે. તારી માતાને પણ જરા ખબર પડશે કે અહીં (કુટુંબ સંભાળવામાં) તને જરાય તકલીફ પડતી નથી. || પ૧ //
આ ભદ્રાનું કુટુંબ મારી બુદ્ધિની નાવડીથી ચિંતા-નદીને પાર ઉતાર્યું છે. આથી હું તારી માતા પાસેથી તેનું ભાડું માગું છું. | પ૨ ||
શાલિભદ્ર બોલ્યો : હે પિતાજી ! આપ તત્ત્વવેત્તાની નદી સમી વાણી મારા સુખ-સાગરમાં ચિતારૂપી વડવાનલ નાખવાની ઇચ્છાવાળી છે.
ગૌણાર્થ : બ્રહ્માની પુત્રી સરસ્વતી મારા સુખ-સમુદ્રમાં વડવાનલને રાખવાની ઇચ્છાવાળી છે. || પ૩ ||
હે માતા ! પિતાજી તો પોતાના સામર્થ્યથી મેરુ-પર્વતને પણ તોલવામાં સમર્થ છે. નાના વહાણ સરખા મારા જેવા પર કુલાચલ-પર્વતના ભાર જેવો કુળનો ભાર શા માટે નાખે છે ? | ૫૪ ||
જયાં મા-બાપની સેવા નથી. જયાં હમેશાં પોતાનું જ પેટ ભરવાની રાક્ષસી વૃત્તિ છે, જયાં ધર્મનો નાશ છે, તે ગૃહવાસને તત્ત્વજ્ઞો પશુધર્મ કહે છે. || પપ ||
હે પિતાજી ! આપ સ્વયં રોહિત મત્યની જેમ સંસારની જાળને છેદીને, ભયભીત થયેલા અમને અહીં સંસારમાં જ મૂકીને કેમ ભાગી જાઓ છો ? // પદ //
828282828282828282828282828282828282
|
૬
||