________________
પ્રક્રમ-૩
शालिभद्र महाकाव्यम्
AURORA 8282828282828282828282828282
પણ નામથી પણ અબળા અને કામ (પરાક્રમ)થી પણ અબળા (બળ વગરની) હોશિયાર પણ સ્ત્રી ન ઉપાડી શકે. | ૨૯ || ૩૦ ||
ત્યાર પછી સાર્થવાહ ગોભદ્ર બોલ્યો : ઓ પ્રવીણ નારી! તું વ્યાકુળ કેમ બને છે ? જૈન તત્ત્વને જાણનારી ઓ પ્રિયે ! તું તો બાળ સરસ્વતી જેવી છે. ||. ૩૧ ||
કોઇ પણ પદાર્થના ઉત્પત્તિ અને નાશમાં અંતરંગ બળ પુણ્ય છે. ઓ મૃગાક્ષિ ! પુરુષોના પ્રયત્નોની પરંપરા માત્ર બાહ્ય બળ છે. || ૩૦ ||
આ વિલાસી જીવનમાં ધર્મ લગભગ નિરવકાશ છે. એના માટે ક્યાંય પ્રાયઃ જગ્યા કે સમય નથી. અને મૃત્યુ સદા સાવકાશ છે. એ ગમે ત્યારે ત્રાટકી શકે છે. હે સુલક્ષણી ! તું સ્વયં આ પદાર્થ પર બલબલની વિચારણા (ધર્મમાં શક્તિની અને મૃત્યુમાં અશક્તિની) કર. || ૩૩ //
જેમના પ્રૌઢ પ્રતાપ ગુપ્ત રહેલા છે, તે સિંહ, સૂર્ય, રાજા અને દેવોને ‘બાળ' ગણવા તે તેમની અવહેલના છે. જાણકારોને, તેમ કરવું યોગ્ય નથી. (ઊગતો સુર્ય પર્વતના માથા પર કિરણ દ્વારા પગ મૂકે છે. સિંહબાળ હાથી સામે ધસે છે. બાળ રાજા મોટા અમલદારને પણ ધમકાવી શકે છે. ઉત્પન્ન થતાંની સાથે જ દેવ સર્વ-શક્તિથી યુક્ત હોય છે. આ બધા બાળ શી રીતે ?) || ૩૪ ||.
એક નિર્દેશવાળી દેવવાણી, એક પુત્રવાળી સિંહણ, એકાક્ષરી મહાવિદ્યા, એકમુખી રુદ્રાક્ષ શુભ ગણાય છે, તેમ એક પુત્રવાળી તું પણ પ્રભાવથી અદ્ભુત વૈભવવાળી છે. સંસારનાં કાર્યોની જેમ ધર્મ-કાર્યોમાં પણ સમૃદ્ધિને આપનારી છે. || ૩૫ / ૩૬ //
8A%A88888A YAUAAAAAAAA
/ ૩૬૦ ||