________________
પ્રક્રમ-૩
પ્રક્રમ - ૩
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
હવે પૂર્ણિમાના સાંનિધ્યથી જેમ સાગરમાં ભરતીની વૃદ્ધિ થાય તેમ દેવોના સાંનિધ્યથી શ્રીશાલિભદ્રના સૌભાગ્ય અને ભાગ્યના ક્ષીર-સમુદ્રની સમૃદ્ધિના સમયની થતી વૃદ્ધિનો વિલાસ જુઓ. / ૧ /
ગોભદ્રની સંયમ માટે વિચારણા :
પુત્રના મુખ-કમળનાં દર્શન પર ગોભદ્ર શેઠે વિચાર્યું : યતિ-ધર્મના માર્ગમાં મુસાફર સમા મને આ શુભ શકુન બનો ! (માર્ગમાં કમળનું દર્શન જેમ શકુન બને તેમ ચારિત્રના માર્ગમાં મને, પુત્રનું મુખ-કમળ શુભ-શકુન હો !) // ૨ //
કારણ કે મોટે ભાગે કેટલાક પુત્રો જુગારની જેમ પૈસા ખોઈ નાખનારા હોય છે. તો કેટલાક ભારે કરજની જેમ ચિંતાસંતાપના કારણ હોય છે. || ૩ ||.
અગણિત પુણ્યની જેમ સંપત્તિ અને આનંદને આપનારા ધર્મના અંશો પૂર્ણ કરનાર સતયુગ જેવા કોઇ બેત્રણ જ પુત્રો હોય છે. || ૪ ||
આ મારો પુત્ર તો લક્ષ્મીની વૃદ્ધિમાં કાળી ચિત્રાવેલ છે. ચિંતા શલ્યને દૂર કરવામાં વિશલ્યા સતી જેવો અને ધર્મરૂપ કલ્પવૃક્ષ માટે નંદનવન છે. || ૫ //
82828282828282828282828282828282888
/
રૂ
II