________________
પ્રક્રમ-૨
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
એક વખતે પ્રેમાળ શેઠે તે જાણી લઈને તરત જ દોહલો પૂર્ણ કર્યો. શ્રીમંતોને તો ઇચ્છા થાય તે જ મહોત્સવ ! (અને ગરીબોને ઇચ્છા થાય તે જ દુઃખ ! શ્રીમંતોની ઇચ્છા તરત જ પ્રાયઃ ફળે જયારે ગરીબ માટે મુશ્કેલ !) || ૬ |
સર્વવ્યાપી દયા-દાન દ્વારા અને ગુણથી ઉત્તમ પાત્રદાન દ્વારા પોતાના પતિ ગોભદ્રને હર્ષ આપનારી (પૃથ્વીગાય-બળદને આનંદ-મંગળ આપનારી) વર્ષા ઋતુની જેમ ભદ્રા વરસી પડી. / ૬૧ ||.
શાલિભદ્રનો જન્મ :
હવે નવ માસ અને કંઇક ન્યૂન નવ દિવસો પૂરા થતાં ગ્રહો ઉચ્ચ-દશામાં હતા ત્યારે પૂર્વ દિશા જેવી ભદ્રાએ તપેલા સોનાની કાંતિવાળા, કલ્યાણ-કમળનો ઉલ્લાસ કરનારા, પૂજનીય, સૂર્ય જેવા પુત્રને જન્મ આપ્યો. // ૬૨ // ૬૩ //
દિવાળીનો મહોત્સવ તો પુત્ર-જન્મોત્સવનો ૧૬મો ભાગ પણ નથી. પુત્રજન્મ તો સદા મંગળરૂપ અને સદા પ્રકાશ આપનાર છે. જયારે દિવાળી તો વર્ષમાં એક જ વાર હોય)-એમ વિચારી અઢળક સંપત્તિવાળા સૌભાગ્યમંડિત શેઠે જન્મોત્સવ નિમિત્તે નિર્દોષ સુંદર સંગીત વગડાવ્યાં. કેદીઓને જેલમાંથી છૂટકારો અપાવ્યો. સર્વ લોકોને સન્માન અપાવ્યું. ઉંચી-ઉંચી ધજાઓ ફરકાવી, શ્રી શ્રેણિકરાજાના આદેશથી સમર્થ પ્રભાવવાળા તે જન્મોત્સવના સમારોહથી શેઠે, અલકાનગરીને પણ ગોઠ (ગોકુળ) જેવું નાનું બનાવતું આખું રાજગૃહ નગર એવું શણગાર્યું કે જાણે સાક્ષાત્ રાજમહેલ જ જોઇ લો ! || ૬૪ || ૬૫ / ૬૬ / ૬૭ //
હવે તે ગોભદ્ર શેઠે સુર્ય-ચંદ્રના દર્શન કરાવીને છટ્ટે દિવસે રાત્રિજાગરણ કરીને સૌભાગ્યકારી નામસ્થાપન કર્યું. સર્વ સ્વજનોની સાક્ષીએ માતાના સ્વપ્નના અનુસાર પોતાના પુત્રનું ‘શાલિભદ્ર' એવું નામ પાડ્યું. // ૬૮ // ૬૯ .
8A%A88888A YAUAAAAAAAA
/ રૂ૭ |