________________
श्री
शालिभद्र
महाकाव्यम्
FRERERE
ચંદ્ર વગરની પણ દિવાળીની રાત જેમ દીવાઓથી ઝળહળે છે તેમ ધન્યા, પતિ વિનાની હોવા છતાં પણ પુત્રરૂપ દીવાથી શોભી રહી હતી. ॥ ૨૩ ॥
જેમ કારતક સુદ પૂનમ દિવાળી જેવી (દેવદીવાળી) ગણાય છે તેમ ધન્યા, વિધવા હોવા છતાં પણ પુત્રના લીધે સધવા જેવી હતી. || ૨૪ ||
‘ઉત્તમ પુરુષો સ્વગુણોથી પ્રખ્યાત હોય છે અને મધ્યમ માણસો પિતાના ગુણોથી પ્રખ્યાત હોય છે.’ આ નીતિવાક્યના અનુસાર જાણે સંગમના પિતાનું નામ જણાતું નથી. (માટે જ સંગમ સ્વનામધન્ય હોવાથી ઉત્તમ પુરુષ હતો.) | ૨૫ ॥
ધન્યાની દરિદ્રતા :
પોતાના પુત્રના પોષણ માટે, પૂર્વ કર્મના શોષણ માટે નિર્મળ અને નિષ્કપટ ધન્યા પારકા ઘરોમાં કામ કરતી હતી. || ૨૬ ||
પુત્રરૂપી આંબાના ઝાડને સિંચવા માટે, ગરીબાઇરૂપી આગને બૂઝવવા માટે, ચિન્તા-સત્તાપના નાશ માટે, દુઃખરૂપી કાદવ દૂર કરવા માટે, દક્ષ, દંભ વિનાની, ઉગ્ર આન્તર રોગથી પીડાતી ધન્યા જલયોગ-ઇચ્છુકની જેમ આક્રોશપૂર્વક પાણીના ઘડા ઠાલવતી હતી. ॥ ૨૭ || ૨૮ ||
તે હવેલીઓની સફાઇ કરતી હતી... જાણે કર્મોની સફાઇ કરતી હતી ! તે ઘંટીથી દળતી હતી... જાણે તે ઘંટી દુ:ખોને દળનારી હતી. ॥ ૨૯ ||
| EREREREREREI
પ્રક્રમ-૧
॥ ૩૪૬ ॥