________________
પ્રક્રમ-૧
પ્રક્રમ - ૧
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
સૌભાગ્ય અને ભાગ્યની ભૂમિ, પ્રથમ અને અંતિમ તીર્થકરોની બાહ્ય-આંતર લક્ષ્મીના ભોગોના ફળવાળું શ્રીદાનધર્મરૂપી કલ્પવૃક્ષ જય પામો. // ૧ //
જેઓ ધન સાર્થવાહના ભવમાં ઘીના વાદળ બની તે રીતે વરસ્યા, જેથી વિશાળ ધાન્યશ્રી (રાજય લક્ષ્મી). પેદા થઇ, તે શ્રી આદિનાથ ભગવાન તમને બાહ્યાન્તર લક્ષ્મી માટે બનો. // ૨ //
પ્રથમ ભાવ (નયસાર)ના સુપાત્ર દાનના મૂળવાળું જેમનું સમ્યક્ત્વવૃક્ષ ઉત્કટ મિથ્યાત્વરૂપી હાથીએ ઉખેડ્યું નથી, વળી દયા-દાન એવી પરમ કોટિને પામ્યા, જેથી નિઃસંગ છતાંય જેમણે દેવદૂષ્યનું (બ્રાહ્મણને) દાન કર્યું તે શ્રીમહાવીરસ્વામી તમારા કલ્યાણ (મોક્ષ) માટે બનો. || ૩ || ૪ ||
પંડિતોએ સારી રીતે વિચારેલી, ત્રણ લોકના વિષયવાળી, પવિત્ર ઉચ્ચારવાળી સરસ્વતીદેવી ઇચ્છિતને આપનારી બનો.
બીજો અર્થ : દેવોએ સારી રીતે ચરાવેલી, ત્રણેય લોકમાં ફરનારી અને ચરનારી (ત્રણેય લોક જેના માટે ‘ગોચર’ છે.) પવિત્ર મૂત્ર અને છાણવાળી કામધેનુ (ગાય) ઇચ્છિતને આપનારી બનો. || ૫ ||
જેમના હસ્ત (કિરણ) સંસર્ગથી પથ્થર (ચન્દ્રકાન્ત મણિ) જેવા મારામાંથી પણ કાવ્યરસનું સ્કુરણ થયું તે ચન્દ્રશા ગુરુશ્રી સોમપ્રભસૂરિ પ્રસન્ન થાઓ. | ૬ ||
8A%A88888A YAUAAAAAAAAA
રૂ૪૨ |