________________
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
અધ્યાત્મમૂર્તિ પૂજ્ય આચાર્યશ્રી વિ. કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ કરુણાથી છલકાતા નયનો ! પ્રસન્નતાની પમરાટ ફેલાવતો ચહેરો ! અધ્યાત્મ-મસ્તી અને પ્રભુ ભક્તિથી ઊભરાતું હૃદય ! એટલે જ અધ્યાત્મ સમ્રાટ્ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ.સા. !
વિ.સં. ૧૯૮૦, વૈ.સુ. ૨, ફલોદી (રાજસ્થાન)માં જન્મ પામેલા આ પુણ્ય પુરુષે ૩૦ વર્ષની યુવાન વયે સંસારનો ત્યાગ કર્યો અને અક્ષયરાજમાંથી મુનિશ્રી કલાપૂર્ણવિજયજી બન્યા. તેમની સાથે તેમનાં પત્ની, બે પુત્રો, સાળા અને સસરાએ પણ દીક્ષા સ્વીકારી.
વાત્સલ્યમૂર્તિ પૂ.આ.શ્રી વિ. કનકસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા. તથા પોતાના ગુરુદેવશ્રી કંચનવિજયજી મ.સા. આદિની નિશ્રામાં રહી પૂજયશ્રીએ થોડા સમયમાં અપૂર્વ જ્ઞાન સંપાદન સાથે આત્મિક સાધનામાં પ્રગતિ કરી.
પૂજયશ્રીનો મુખ્ય રસ હતો : પ્રભુ ભક્તિનો રસ. ભક્તિ માર્ગે પૂજયશ્રીએ થોડાક જ વર્ષોમાં અપૂર્વ યોગ્યતા પ્રાપ્ત કરી.
એમની આવી યોગ્યતા જોઇ પૂ.આ.શ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મ.સા.એ વિ.સં. ૨૦૨૫ ફલોદી (રાજ.)માં તેમને પંન્યાસપદથી વિભૂષિત કર્યા તથા વિ.સં. ૨૦૨૯, માગ.સુ. ૩ ભદ્રેશ્વર (કચ્છ)માં આચાર્યપદથી અલંકૃત કરી તેમને પોતાના ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કર્યા.
ARRARAUAYA8A828282828282828
II
II