SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 વિ.સં. ૧૯૭૯માં જીતવિજયજી અને સં. ૧૯૮૬માં હીરવિજયજી મ.ના સ્વર્ગવાસ પછી વાગડ સમુદાયના તેઓ કર્ણધાર બન્યા. પોતાની સંયમ સુવાસ દ્વારા સમસ્ત જગ્યાએ આદરપ્રાપ્ત અજાતશત્રુ બન્યા. તેમનું અષ્ટ પ્રવચન માતાના પાલનથી સભર એવું જીવન હતું કે જે જોઇને જ જીવો પામી જાય. એમના મધુર વચનમાં એવી તાકાત હતી કે જેને કદી ઉત્થાપવાનું મન ન થાય. એમની પાસે જનારને, ચરણસ્પર્શ કરનારને અનહદ શાંતિનો અનુભવ થતો. ગમે તેવા ઉકળાટવાળો માણસ પણ તેમની હાજરીમાં શાંત-પ્રશાંત બની જતો. આ તેમની ઉપશમ ગુણની અનુપમ સિદ્ધિ હતી. વિ.સં. ૨૦૧૨માં કચ્છમાં જયારે ધરતીકંપનો આંચકો લાગ્યો ત્યારે પૂજયશ્રી ભચાઉ મુકામે હતા. ધરતી ધણધણી ઉઠી, પણ પૂજયશ્રીના પ્રભાવથી ભચાઉ કિલ્લામાં રહેલું એક પણ મકાન પડ્યું નહીં કે કોઇ મર્યું નહીં. જયાં પૂજયશ્રી હતા તે ઉપાશ્રય નવો જ બનેલો હતો ને છત પર પાંચ હજાર મણ પથ્થર હતા. છતાં એક કાંકરી પણ નીચે પડી નહિ, આવી પ્રચંડ સૂક્ષ્મ શક્તિના સ્વામી પૂજય આચાર્યશ્રી વિ.સં. ૨૦૧૯ શ્રા.વ. ૪ ભચાઉ મુકામે પંચસૂત્રનું શ્રવણ કરતાં અનંતની યાત્રાએ ઉપડી ગયા. પૂજયશ્રીના અનહદ ઉપકારોથી કચ્છ-વાગડ આજે પણ નતમસ્તક છે. આજે પણ પૂજયશ્રીને યાદ કરતાં ભક્તો ગદ્ગદ્ બની જાય છે. ARRARAUAYA8A828282828282828 // ૬, I
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy