________________
શેષ નિર્ધારણીકરણ આદિ સાત કરણોમાં મતિજ્ઞાનના અવગ્રહ, ઇહા, અપાય અને ધારણાનો ઉત્ક્રમથી અભાવ થતાં સાધકમાં કેવળજ્ઞાનના પ્રગટીકરણનું સામર્થ્ય પ્રગટે છે.
આમ આ બારે કરણોમાં મન આદિ બાહ્ય સાધનો-આલંબનો છૂટી જતાં હોવાથી તે ‘નિરાલંબનયોગ' સ્વરૂપ છે.
નિરાલંબનયોગ મુખ્યતયા ક્ષપક શ્રેણિમાં આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકમાં સ્થિત સમર્થ યોગીને હોય છે. તેની પૂર્વે પરમતત્ત્વના લક્ષ્યવેધ રૂપ જે પરમાત્મ ગુણોનું, પરમાત્મ સ્વરૂપનું ધ્યાન હોય છે, તે પણ મુખ્ય નિરાલંબન યોગના હેતુભૂત હોવાથી ‘નિરાલંબનયોગ' કહેવાય.
આ અપેક્ષાએ ઉન્મનીકરણ આદિ સર્વ કરણો નિરાલંબન યોગ રૂપ છે, એમ સમજી શકાય છે.
આ નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ અનુભવ દશામાં વહેતી પ્રશાન્તવાહિતાની શીતળ સરિતામાં નિમગ્ન સાધક નિત્ય પરમાનંદને અનુભવતો હોય છે.
આવશ્યક સૂત્ર આદિ જિનાગમોમાં તથા કર્મ પ્રકૃતિ, પંચ સંગ્રહ આદિ ગ્રંથોમાં સમ્યગ્દર્શનની પ્રાપ્તિ પૂર્વે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ - આ ત્રણ કરણોની જે રહસ્યમય પ્રક્રિયા વર્ણવી છે, તે પણ આ
ઉન્મનીકરણ આદિ કરણોમાં અંતર્ભૂત છે. કહ્યું પણ છે
-
આત્મા જ્યારે ગ્રંથિનો ભેદ કરીને સમ્યગ્દર્શન પામે છે, ત્યારે તે ઉક્ત યથાપ્રવૃત્તિ આદિ કરણના ક્રમથી જ પામે છે. करणं अहापवत्तं अपुव्वमनियंट्टिमेव भव्वाणं । इयरेसिं पढमं चिय भन्नइ करणंति परिणामो ॥ · ‘વિશેષાવશ્યક ભાષ્ય’ ગાથા ૧૨૦૨. ભવ્ય જીવોને આ ત્રણ કરણ હોય છે. કરણનો અર્થ જીવનાં પરિણામ, વિશુદ્ધ અધ્યવસાય.
(૧) યથાપ્રવૃત્તિકરણ - અનાદિ સંસિદ્ધ કર્મક્ષપણમાં પ્રવૃત્ત અધ્યવસાય વિશેષ.
(૨) અપૂર્વકરણ પૂર્વે અપ્રાપ્ત વિશુદ્ધ પરિણામ અથવા સ્થિતિઘાત, રસઘાત આદિ અપૂર્વ અર્થનો નિવર્તક અપૂર્વ કાર્યને કરનાર વિશુદ્ધતર અધ્યવસાય વિશેષ.
(૩) અનિવૃત્તિકરણ - સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના પાછો નહિ ફરનાર વિશુદ્ધતમ
અધ્યવસાય.
આ ત્રણે કરણો આત્માના વિશુદ્ધ, વિશુદ્ધતર અને વિશુદ્ધતમ અધ્યવસાય (પરિણામ) સ્વરૂપ છે. આ ત્રણે કરણો ભવ્ય જીવોને જ હોય છે. અભવ્ય જીવોને એક માત્ર યથાપ્રવૃત્તિ કરણ હોઇ શકે છે.
આ યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ
ધ્યાન વિચાર (સવિવેચન) . ૪૪