________________
નો-આગમની અપેક્ષાએ ભાવ-ધ્યાન એટલે ઉપયોગ-યુક્ત ધ્યાનની ચિંતનાત્મકક્રિયા અર્થાત્ ઉપયોગવાળું ધ્યાન.
(૬) પદ અને પદાર્થ : ‘નમઃ’ પદ અને પદ ધ્યાન’નો શબ્દાર્થ-ભાવાર્થ વિચારતાં બંનેની કથંચિત્ તુલ્યતા જણાઇ આવે છે.
ભાવ-નમસ્કારના પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ વગેરે અનેક ભેદો છે. નામાદિ ચારે નમસ્કારના-ન્યૂનાધિક શુદ્ધિની અપેક્ષાએ અનેક ભેદો પડે છે.
ભાવ-નમસ્કારનો ૫૨મ પ્રકર્ષ વીતરાગ-દશાને પ્રાપ્ત થયેલા ઉત્તમ
(૧) ‘દ્રવ્ય-પૂજા’માં કાયા અને આત્માઓને હોય છે. તીર્થંકર પરમાત્મા વાણીનો સંકોચ હોય છે. પણ ‘નમો તિર્થંK’ પદનો ઉચ્ચાર કરે છે. · પૂજાના ચાર પ્રકાર :
(૨) ‘ભાવ-પૂજા'માં મનનો સંકોચ હોય છે અર્થાત્ અરિહંતાદિના ગુણમાં મનને એકાગ્ર બનાવવાનું હોય છે. તેથી તેને ‘ભાવ-સંકોચ’ કહે છે. ‘પદ-ધ્યાન’પૂજા, એ ભાવ નમસ્કાર રૂપ છે. ભાવનમસ્કારની પ્રાપ્તિ અત્યંત દુર્લભ છે. તત્ત્વથી સાચો નમસ્કાર પણ તે જ છે.
‘લલિત-વિસ્તરા’ ગ્રંથમાં ભાવનમસ્કારની મહત્તા અને વ્યાખ્યા વિશદ રીતે બતાવવામાં આવી છે. ધર્મપ્રશંસા આદિ બીજાધાન વગેરેથી તે અનુક્રમે સિદ્ધ થાય છે. ‘શક્રસ્તવ’માં સૌ પ્રથમ ‘નમુન્થુળ’ – ‘નમસ્કાર થાઓ’ આ પ્રાર્થનાત્મક
નમસ્કાર
કરવા
પાછળ સાધક ભક્તાત્માનો એ જ શુભ-ઉદ્દેશ છે કે - વર્તમાનમાં હું પરમાત્માને ભાવ-નમસ્કાર કરી શકું એવું સામર્થ્ય મારામાં નથી, પણ
‘નમઃ’-‘પૂજા’ અર્થમાં છે. પૂજાના મુખ્ય પ્રકાર બે છે : (૧) દ્રવ્યપૂજા અને (૨) ભાવપૂજા.
તે કરવાની ઇચ્છા પૂરેપૂરી છે. તેથી પ્રભુ-કૃપાના પ્રભાવે જ મારો ઇચ્છાયોગનો નમસ્કાર ભાવિમાં ભાવ-નમસ્કાર કરવાનું સામર્થ્ય પ્રગટાવશે.
-
જિનાગમોમાં ચાર પ્રકારની પૂજા કહેલી છે : (૧) પુષ્પ-પૂજા, (૨) નૈવેદ્ય(૩) સ્તોત્ર-પૂજા અને (૪) પ્રતિપત્તિ-પૂજા.
પ્રથમના બે ભેદ ‘દ્રવ્ય-પૂજા’ના છે; પછીના બે ભેદ ‘ભાવ-પૂજા'ના છે.
‘ભાવ-પૂજા’ ‘પ્રતિપત્તિ’ રૂપ હોય છે. ♦ગુણ-સ્થાનની દૃષ્ટિએ પૂજા ઃ
સમ્યગ્-દૃષ્ટિ જીવોને પ્રથમની ત્રણ પૂજા હોય છે અને દેશ-વિરતિધરોને ચારે પૂજા હોય છે. સરાગી સર્વવિરતિધરને (છઠ્ઠાથી દસમા ગુણ-સ્થાનક સુધી) ‘સ્તોત્ર’ અને ‘પ્રતિપત્તિ' - બે પૂજા હોય છે અને વીતરાગ-દશામાં એટલે કે અગિયારમા, બારમા અને તેરમા ગુણસ્થાનકમાં ‘પ્રતિપત્તિ પૂજા' હોય છે.
ધ્યાન વિચાર (સવિવેચન)
. ૧૮૪