SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ દહીં, સ્ત્રી, ધરતી, શેરડી - આ બધી વસ્તુઓ એવી છે કે એનું જેટલું વધુ મર્દન એટલું વધુ ફળ ! કામ પતાવીને હું હાથીના સહારે ફરી ઉપર આવી ગઇ. આમ કેટલાક દિવસ બરાબર ચાલ્યું. એક દિવસ રાજા અંતઃપુરમાં અલક-મલકની વાતો કરી રહ્યા હતા. આજે તો રાજા બરાબર ખીલ્યા હતા. તેઓ હાથમાં કમળનું ફૂલ લાવેલા અને એના નાળથી બધી રાણીઓને ક્રમશઃ ફટકારતા હતા. બધી રાણીઓ તો હસવા માંડી : આ શું છે વળી ? શિક્ષા આપવાની આ નવી પદ્ધતિ પણ મારો જ્યારે નંબર આવ્યો ત્યારે હું એકદમ ચીસ પાડી બોલી ઊઠી : “બાપ રે... મને બહુ વાગે છે ! આટલું બધું મારો નહિ.” કમળના કોમળ નાળનો માર પણ મને બહુ લાગે છે. હું એટલી બધી કોમળ છું - એમ હું બતાવવા માંગતી હતી. “કુલટા સ્ત્રીઓ ઘુંઘટ લાંબુ તાણે, ખારું પાણી વધુ ઠંડું હોય. ધૂતારો માણસ ખૂબ જ મીઠું-મીઠું બોલે.” એ તો તમે જાણતા જ હશો? પણ મને ક્યાં ખબર હતી કે મારો આ ઢોંગ જ મારા માટે બેડી બની જશે ? સ્ત્રીઓમાં એટલી અક્કલ પણ ક્યાંથી લાવવી ? રાજાનો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટી નીકળ્યો અને બોલી ઊઠ્યા: “હાથીને બાંધવાની સાંકળનો માર લાગતો નથી અને કમળની નાળ વાગે છે. વાહ ! શું કોમળતા છે ?” રાજાનું આ વાક્ય સાંભળતાં જ હું ચોકી ઊઠી. મને પળવારમાં જ બધું સમજાઈ ગયું : નક્કી આ બધું કામ ઓલા ડોસાનું છે. હું મૂર્ખ એને સૂતેલો સમજેલી ! ડોસો તો જમાનાનો ખાધેલો નીકળ્યો ! મારી ધારણા સાચી પડી. મારી વિશ્વાસુ દાસીએ પણ આ જ વાત કહી : રાણી બા ! બહુ ભયંકર ખેલ ખેલાઇ રહ્યો છે. તમારા પર મોતનો ખતરો છે. મેં મારા સગા કાને સાંભળ્યું. ઓલો ડોસો અને રાજા વાતચીત કરી રહ્યા હતા. આત્મ કથાઓ • ૩૨૪ રાજાએ ગુસ્સાથી પૂછયું : “કેમ તમે કહેતા હતા ને કે મને ઊંઘ નથી આવતી ! આજે કેમ સૂર્યોદય સુધી ઘસઘસાટ ઊંઘતા હતા ?” “રાજનું ! બેઅદબી માફ કરજો. આજે રાત્રે જે ઘટના જોઇ એનાથી મારા મનનું સમાધાન થઇ ગયું. જો રાજ-પરિવારમાં કડક ચોકીપહેરા વચ્ચે પણ આવું અગડંબગડું ચાલતું હોય તો અમારા જેવાના ઘેર અગડંબગડું ચાલ્યા કરે એમાં નવાઈ શી ? ને મારા મનનું સમાધાન થઇ ગયું. કેટલાય દિવસોથી ન આવતી ઊંઘ આજે આવી ગઇ.” કઇ ઘટના ?” અને ડોસાએ હાથીવાળી રાતની આખી ઘટના સંભળાવી દીધી. રાજાએ ત્રાડ પાડી : “કઈ છે એ હરામખોર રાણી ?” રાજન ! એ રાણી કઈ હતી ? એ તો અંધારામાં દેખાયું નહિ, પણ હતી કોઇ રાણી જ, એ વાત ચોક્કસ છે.” “ચલો, કોઈ વાંધો નહિ. હું એ રાણીને શોધી કાઢીશ.” રાજાએ આમ કહીને વાતની સમાપ્તિ કરી. હું પડદા પાછળ રહીને આ બધું સાંભળી રહી હતી. દાસીના મુખે આ બધું સાંભળીને હું નખ-શિખ ધ્રુજી ઊઠી : બાપ રે ! હવે મરી ગયા. રાજાએ તો કમળના નાળથી મને શોધી પણ કાઢી. હવે શું થશે ? પણ “અબ પછતાયે ક્યા હોત જબ ચીડિયા ચુગ ગઇ ખેત ?” મારું ખેતર પંખીઓ ચણી ગયા હતા. હવે રડવા સિવાય મારા હાથમાં કશું જ નહોતું. ગુસ્સાથી ધમધમી રહેલા રાજાએ મને, મહાવતને અને હાથીને દેહાંત દંડની શિક્ષા કરી. પર્વત પરથી હાથી સહિત અમને બંનેને ગબડાવી દેવાનો પ્લાન ઘડાયો. રાજાની આજ્ઞા એટલે આજ્ઞા ! એમાંથી નીકળવાની કોઇ છટકબારી નહોતી. મારું હૃદય ફફક... ફફ ક.. ધૃજવા માંડ્યું. મૃત્યુનો રાક્ષસ આંખ સામે દેખાવા લાગ્યો. એ રાક્ષસથી કોઇ છોડાવી શકે એમ મને લાગ્યું નહિ. હજારો માણસોની સામે અમને આ કઠોર શિક્ષા આપવામાં આવી. પરકાય - પ્રવેશ • ૩૨૫
SR No.008964
Book TitleAatmkathao
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShantijin Aradhak Mandal Manfara
Publication Year2003
Total Pages273
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy