________________
गुजरातना ऐतिहासिक लेख
ભાષાન્તર (પંક્તિ ૧) છે. સ્વરિત . વલભીમાંથી, મિત્રક વંશમાં શત્રુઓને બળથી નમાવનાર, અતુલ બળવાન શત્રના પ્રદેશમાં એક યુદ્ધ કરીને વિજય મેળવનાર, પિતાના પ્રતાપથી નમાલાના અનુરાગને દાન, માન અને સરળતાથી પ્રાપ્ત કરનાર, પિતાના વંશપરંપરાના અને ભાડુતી સેકે અને મિત્રોના બળથી રાજલક્ષમી પ્રાપ્ત કરનાર, મહેશ્વરને મહાન ભક્ત સેનાપતિ શ્રીમાન ભટક જપે હતે.
(પંક્તિ ૪) હેને પુત્ર, જહેન શિર પ્રણામ કરવાથી હેના પદારજથી રક્ત થઈ પવિત્ર થએલું, જેની પદનઆ પંક્તિ ને નમન કરતા શત્રુઓના મુગટનાં રતનાના તેજથી આભૂષિત થતી, જેની લમીથી દીન અને અનાથનું પાલન થતું તે, મહેશ્વરને મહાન ભકત સેનાપતિ ધરસેન હતા.
(પંક્તિ ૬) હે હા ભાઈ, જેને વિમલ મુગટમણિ હેના (ભાઈના) ચરણને નમતાં પ્રશસ્ત થએલે જે મનુ આએિ કરેલા નિયમે, વિધિવિધાનેનું આચરણ કરતે, જેણે ધર્મરાજ માફક સદાચારને માર્ગ નક્કી કરેલ; જેને રાજ્યાભિષેક અખિલ ભૂમંડળના પરમસ્વામીના હસ્તે થએલો અને જેની રાજ્યશ્રી મહાદાથી વિશદ્ધ થએલી તે, મહેશ્વરને મહાન ભકત, મહારાજ કોણસહ હતો.
(પંક્તિ ૧૦) હેને અનુજ સિહ માફક વબાહુબળથી જ શત્રની ગજસેનાના વ્યુહેને પરાજય કરનાર શરણાગતને આશ્રયદાતા, શાસ્ત્રાર્થ તત્ત્વજ્ઞાની, કહપતરૂ માફક મિત્ર અને પ્રસુયિ જનેને વાંચ્છિત ફલનો ઉપગ દેનાર, ભગવતને પરમ ભક્ત; પરમ ભટ્ટાર્કને પાદાનુધ્યાત, મહાસામંત મહારાજ ધ્રુવસેન કુશળક્ષેમ હેઈ, સર્વ આયુક્તક, વિનિયુક્તક, પ્રાંગિક, મહુર, સનિક, કવાધિકરણિક, દાશિક આદિ સર્વેને હેમને હેમના સંબંધ અનુસાર જણાવે છે કે
(પંક્તિ ૧૫) હમને જાહેર થાએ કે, મકણ ગામમાં હસ્તવપ્ર આહરલ્સિમાં કુટુંબ ઈશ્વરની માલિકીનાં ૧૪૦ પાદાવત અને એક વાપી ૧૬ પાદાવત વિસ્તારવાળી સાથે; તેમ જ તાપસીય ગામમાં હિડકના કબજાવાળાં ૧૪૦ પદાવર્તિ, તે ઉપરાંત વિનિશક ગામની ઈશાન સીમા પર વાપીસહિત ૧૦૦ પાદાવત શંકર વાટકના બે નિવાસી શાડિય ગોત્રના છંદોગ બહાચારીઓ બ્રાહમણ કુમારશર્મન અને જરભજિયને, મહારા અને મારા માતાપિતાની પુણ્યવૃદ્ધિ માટે તથા આ લેક તેમ જ પરલોકમાં મનવાંછિત ફલપ્રાપ્તિ માટે ચંદ્ર, સૂર્ય, સાગર, પૃથ્વી, નદીએ, અને પર્વતના અસ્તિત્વ કાળ સુધી, હેમના પુત્ર, પૌત્ર-પરંપરાના ઉપગ માટે, બલિ, ચરૂ, વૈશ્વદેવ વિગેરેની વિધિઓ કરવા હું પાણીને અર્થે કરી બ્રાદાય તરીકે આપ્યાં છે. આથી કરીને આ બે જણને, બ્રહ્માય નિયમાનુસાર ઉપભાગ કરી ખેતી કરતા હોય ત્યારે અથવા તે બીજાને સોંપે ત્યારે કોઈ પણ લેશમાત્ર પ્રતિબંધ કરે નહિ. આ અમારા દાનને, અમારા વંશજો અને ભાવિ ધમરાજાઓએ રાજસત્તા નાશવંત છે, જીવન અનિશ્ચિત છે અને દાનનું પુર્ણય સામાન્ય છે તે મનમાં રાખી, અનમતિ આપવી જોઈએ. અને જે તે જપ્ત કરશે અથવા જપ્તિમાં અનુમતિ આપશે તે પચમહાપાપ અને બીજા હાનાં પાપને દોષી થશે.
(પંક્તિ ૨૬) આને માટે વ્યાસના રચેલા બે કલેક પણ છે. ભૂમિદાન દેનાર વર્ગમાં ૬૦,૦૦૦ વર્ષ વૈભવ ભોગવે છે અને જે તેની જતિ કરે છે અને જપ્ત કરવામાં અનુમતિ આપે છે તે તેટલાં જ વર્ષે નરકમાં વાસ કરે છે.
સગરના સમયથી માંડી, આ પૃથ્વી ઘણા નૃપિએ ભેગાવી છે, જે સમયે જે પૃથ્વીપતિ હશે હેને તે સમયે ફલ પ્રાપ્ત થશે.
(પંક્તિ ર૮) હારા, મહાસામન્ત મહારાજ પ્રવસેનના, હસ્ત છે. દૂતક પ્રતીહાર મમ્મક લખનાર કિકકે. સંવત ૨૦૬, ભાદ્રપદ, શુદિ પ.
"Aho Shrut Gyanam"