________________
નિં. ૭૦
ધરસેન થાના દાનપત્રનું બીજું પતરું
સંવત ૩૨૬ માઘ વ ૫
ભાવનગરથી પ્રસિદ્ધર્તાને બે તામ્રપત્રોના બીજા અર્ધજાગ અનુવાદ માટે મેકલવામાં આવ્યા હતા, જે પૈકીનું આ પતરું છે. પતરાનું માપ ૧૨”x૧૦” છે, અને તે સુરક્ષિત સ્થિતિમાં છે, જો કે જમણી બાજુનો ખુણે ફક્ત ખંડિત થયું છે. બીજું પતરું જે હાનું છે તેને ઘણું જ નુકશાન થયું છે અને તેમાં અક્ષરે અસ્પષ્ટ છે. તે બીજા પતરાને દાતા શીલાદિત્ય ૧ લે (ધર સેન બીજાને પુત્ર અને ઉત્તરાધિકારી ) છે.
આ પવરાને દાતા, ઈ. એ. , ૧ ના મા. ૧૪ મે પ્રસિદ્ધ કરેલ અનુવાદમાં છે તેમ, ધરસેન ૪ થે છે. તારીખ પણ એ જ છે, એટલે કે સં. ૩૨૬ છે. ફક્ત માસ આ પતરાંમાં આષાઢને બદલે માઘ છે. પ્રથમ સાડાનવ પંક્તિઓનો અનુવાદ કરેલ નથી, કારણ કે તેમાં આપેલું રાજાએનું વર્ણન વલભીનાં બીજાં દાનપત્રના એવા જ ભાગેની સાથે મળતું આવે છે.
આ પતરૂં અને ઉપર કહેલું શીલાદિત્ય ૧ લાનું બીજું પતરું બને કે ખંડિત અને શબ્દલોપવાળાં છે, છતાં ઘણાં જ જાણવા લાયક છે. અત્યાર સુધી ઉપલબ્ધ વલભી પતરાંઓમાં બ્રાહ્મણને ભૂમિદાન આપ્યાની નોંધ છે. પરંતુ આ બને પતરાંઓમાં બૌદ્ધમઠ અથવા વિહારને દાન કર્યાની નોંધ છે.
આ પતરામાં મંત્રી સ્મૃભટથી બંધાવેલ એક વિહારને ચોધાવક ગામ દાનમાં અર્પણ કર્યું છે, જે સ્કન્દમ, એક ધાર્મિક બૌદ્ધ હોય એમ જણાય છે. આ ઉપરથી આપણે જાણી શકીએ છીએ કે વલભી રાજાએ બાહ્મણની પેઠે બૌદ્ધોને પણ આશ્રય આપતા હતા. બ્રાહ્મણ ધર્મની સાથે સાથે બૌદ્ધ ધર્મનો પ્રચાર વલભી રાજાઓના રાજયમાં હતો તે જ મતિપૂજા પણું ધર્મનું એક અંગ હતી.
૧ ઈ. એ
. 1 પ. ૪પ છે ભાંડારકર
"Aho Shrut Gyanam"