________________
વીર ! મધુરી વાણી તારી
ય ભલે ન આવડે, પરંતુ તે બધાયને પામી ચૂકેલા, પરમશુદ્ધ પરમાત્માઓને ભાવભરી વંદના કરતાં તમને આવડે છે?
૯૯
અનધ્યાત્મદશાનો તિરસ્કારભાવ તમારામાં સળગી રહ્યો છે ? પરમાત્મભાવની
ભૂખ જાગી ચૂકી છે.૪ જો આ આગ અને આ ભૂખ જાગશે તો તમે એ પરમમદને
પામેલાઓને ભાવભરી સાચી વંદના કયા૪ વિના રહી શકશો પણ નહિ.
એવી એક વંદના થતાંની સાથે જ તમારા જીવનનો પ્હો ફાટયો છે એમ તમે સમજી લેજો. નિશ્ચિત સમજી લેજો. પછી પ્રકાશને આવતાં વાર નહિ લાગે. આવી વંદના જ કઠોરમાં કઠોર સાધના છે. ઘોર તપ ત્યાગ કે અપૂર્વ ધ્યાન-જપ વગેરે તો બહુ સામાન્ય બાબતો છે; આવી સુંદર વંદના પાસે.
માટે જ તો વંદનાવિહોણા તપત્યાગ લગભગ નિષ્ફળ ગયા અનંત આત્માઓના! અને વંદનાવાળા અલ્પત્યાગાદિ, રે,? વંદનાયુક્ત સંસારના ભોગો પણ સર્વકર્મના ક્ષય કરનારા પરંપરયા બની ગયા!
વંદના કરો પરમપુરુષ મહાદેવોને! તમે જ વંઘ બની જશો જગતના ! પછી એ મહાદેવોને પણ તમારે વંદના કરવાની રહેશે નહિ.
રે! આ વિચારથી તો શ્રાદ્ધશિરોમણિ કવિ ધનપાલ ત્રાસી ઊઠયા હતા. અને ૠષભપંચાશિકામાં પોતે એ દુ:ખ વ્યક્ત કરતાં કહી દીધું કે, “હે ભગવાન આદિનાથ! તને વંદના કરવાથી મોહાદિના મારા કુંસંસ્કારો નાશ પામી જસે એ વાત તો મને ગાંડો થેલો બનાવી દે છે. પણ મોવિજેતા બનેલા મારે પછીથી તને વંદના કરવાની નહિ એ હકીકત વિચારતાં તો હું ત્રાસી ઊઠું છું.'' વંદ્ય બનવા કરતાં વંદક બનવાની મસ્તી જ કોઈ ઓર લાગી છે કવિ ધનપાલને! માટે જ વંદનાની માધુરી માણવાનું મૂકી દેવું પડે તેવી જગદ્વંદ્ય અવસ્થાની દેન સ્વીકારતાં પણ તો અચકાઈ જાય છે.
ગમે તે થાઓ. આજે તો જગદંઘને તબિયત વંદના અર્પો. વંઘ તમને વંઘ બનાવી દે એ જુદી વાત છે પણ વંદના વિના વંદ્ય બનાતું જ નથી એ વાત નિશ્ચિત સમજી લઈને વંદનાના જ માશુ ક બની રહો.
ફરીયાદ રાખજો કે જગદ્વંદ્ય મહાદેવ આપણને વંદ્ય બનાવવામાં અસલમાં કોઈ ઉપકાર કરતાં નથી. ઉપકાર કરે તે રાગી છે. ઉપકાર તો થઈ જાય છે વીતરાગથી.
ઉપકાર કરવો અને ઉ૫કા૨ થઈ જવો એ વાતમાં ઘણું અંતર પડેલું છે. વ્યવહાર વિશારદ આત્મા ઉપકાર થવામાં નિમિત્ત બનનારનો ઉપકાર માને જ.