________________
| | _
૧૦૦
વીર ! મધુરી વાણી તારી
એવો ઉપકાર ન માને તે કદી જગäદ્ય બની શકે નહિ, કેમકે એવો વિચારવાળો આત્મા ભાવભરી સાચી વંદના કદી કરી શકે જ નહિ.
આચાર્યભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ મહાદેવનું સ્વરૂપવર્ણન સાત શ્લોકમાં કરતાં રહ્યાં ત્યાં સુધીમાં જ્ઞાનયોગની ધૂનમાં રાચતા હતા. પણ એ ધૂનમાં જ એમને મહાદેવની અસાધારણ વિશિષ્ટતાઓ દેખાતી ચાલી અને જાણે કે જ્ઞાની, ભક્ત બનતો ચાલ્યો અને જ્ઞાનની ધૂન પરાકાષ્ટાએ જતાં ભક્તિની ધૂન પણ પરાકાષ્ટાને પામી અને ભગવાન હરિભદ્રસૂરિજી આઠમા શ્લોકમાં બીજું કાંઈ જ ન કહેતાં જ્ઞાનમસ્તીને બાજુએ મૂકીને જાણે ભક્તિની મસ્તીમાં “કહે છે, મહાદેવ! મારી ભાવભરી ભક્તિએ તારા ચરણોમાં હું તને શતશત વંદનાઓ આપું .' પ્રથમ અષ્ટક પૂર્ણ થઈ ગયું.
ઓ! શ્રી વીતરાગ-સર્વજ્ઞ! ઓ પરમશાંત સ્વરૂપ! ઓ કૃતકૃત્ય જ્યોતિ! ઓ, કેવલ્યનિધિ મહાદેવ! મારી તને પુનઃપુનઃ વંદના.
આઠમા શ્લોકમાં આટલું કહીને ભગવાન હરિભદ્રસૂરિજીનો જ્ઞાનાત્મા ભક્તાત્મા બની જઈને આ અષ્ટકને સમાપ્ત કે છે.
આપણે ય એ વીતરાગતાદિ ગુણસંપન્ન મહાદેવને અને એ મહાદેવના ચરણોમાં આળોટતાં મહાદેવના દાસત્વની ખુમારી લેતાં ભગવાન હરિભદ્રસૂરિજીને ! પળે ભાવભરી વંદના અર્પીએ.
વીતરાગના દાસનો ય દાસ બને તે જ એક દી વીતરાગનો સાચો દાસ બની શકે, અને એ જ વીતરાગનો દાસ એક દી સાચો વીતરાગ બની જાય.