________________
વીર ! મધુરી વાણી તારી
વાસનાની આગોને, બહેલાવનારા જ બને! ઘનઘોર અજ્ઞાનના અંધકારમાં ધક્કે ચડાવી એમની ખોપરીઓના ચૂરા કરી દેનારા જ બને!
અહીં એક પ્રશ્ન થાય કે શું મોક્ષનું નિરુપણ કરતું શાસ્ત્રરૂપી સુવર્ણ આ કષછેદ અને તાપની પરીક્ષામાં કયાંય ને ક્યાંય નાપાસ થઈ જાય તેવું બની શકે ખરું?
ઉત્તર એ છે કે કદાચ બની પમ જાય.
હવે આપણે વિસ્તારથી શાસ્ત્ર-સુવર્ણની કષ વગેરે પરીક્ષાઓના સ્વરૂપ અને તે પરીક્ષામાં ક્યા શાસ્ત્રો પૂર્ણ ગુણ મેળવે છે અને કયા શાસ્ત્રો ત્રણમાંથી કેટલી પરીક્ષા સુધી પહોંચીને અટકે છે તે સઘળું જોઈએ.
સુવર્ણની આ ત્રણ પરીક્ષાઓ લોકપ્રસિદ્ધ છે. સહુ પ્રથમ તો સોનાને કસોટી ઉપર કસીને જોવામાં આવે છે કે તે સોનું કેવું છે? સોનાને ઘસતાં જ (કષ સાથે જ) સોનાનો કલર ઝળકે તો કષ પરીક્ષામાં એ સોનું ઉત્તીર્ણ થયું કહેવાય.
પણ જો પિત્તળ ઉપર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો હોય તેને કસોટી ઉપર ઘસવાની કષ પરીક્ષાથી એ અંદરનું પિત્તળ પકડાય નહિ. એટલે તેનો નિર્ણણ કરવા માટે તે સુવર્ણ-લગડી ઉપર છીણીનો ગા કરવો પડે, એનાથી લગડી થોડી છેદાય અને તેમાં રહેલા પિત્તળની ખબર પડી જાય.
પણ કેટલીક વાર તો ઉસ્તાદ લુચ્ચાઓ વધુ પ્રમાણમાં ઢોળ લગાડી દઈને છેદ પરીક્ષામાં ય પિત્તળના ભેળની ખબર પડવા દેતા નથી. આવા વખતે તે સુવર્ણને અગ્નિમાં તપાવવું પડે છે. એ વખતે સોનું અને પિત્તળ કે તાંબું ઓગળીને જુદા પડી જાય છે. આને સુવર્ણની તાપ પરીક્ષા કહેવામાં આવે છે.
હવે શાસ્ત્ર-સુવર્ણની લગડીની કષ વગેરે પરીક્ષાઓ જોઈએ. કષપરીક્ષા – જ્ઞાનવાદઃ પરસ્પર અબાધિત વિધિપ્રતિષેધનું કથન તે કષ.
જે શાસ્ત્રમાં વિધિ-પ્રતિષેધનું નિરુપણ કરવામાં આવ્યું હોય તે શાસ્ત્ર સુવર્ણ કષ પરીક્ષામાંથી પસાર થી ગયું કહેવાય.
મન વચન અને કાયાના કરણ-કરાવણ અને અનુમોદનના વ્યાપારોમાં કયા કાય ઉચિત વ્યાપાર ગણાય અને કયા કયા અનર્થ દંડરૂપ વ્યાપાર ગણાય? એ વિષયનું નિરુપણ યાવજીવ માટે ત્રિવિધ-ત્રિવિધ, ભૂલ કે સૂક્ષ્મ પણ જીવહિંસાદિ કરવા ન જોઈએ. કેમકે એ જીવઘાત, મૃષાવાદ વગેરે પાપના સ્થાનકો છે.
આવા પાપસ્થાનકોનું મૂળ જીવના રાગાદિભાવો છે. એ રાગાદિભાવોનો ખાત્મો