________________
વીર ! મધુરી વાણી તારી
બોલાવી દેનારા સફળ યોદ્ધાઓ બને તેવા ધ્યાન તથા બાહ્ય અભ્યતર તપ વગેરે છે.
તે ધ્યાન-તપ વગેરે ધર્મસ્થાનકોને જીવનમાં ઉતારવા જોઈએ. જે શાસ્ત્રોમાં આ રીતે જીવહિંસાદિ પાપોના પ્રતિષેધનું અને રાગાદિનાશક ધ્યાન-તપ વગેરે ધર્મોનું વિધાન કરવામાં આવ્યું હોય તે શાસ્ત્રોના તે વિધાનોને આપણે જ્ઞાનવાદ સ્વરૂપ કહી શકીએ. આવા જ્ઞાનવાદવાળું શાસ્ત્ર પણ કષ પરીક્ષામાં ત્યારે જ ઉત્તીર્ણ થયું કહેવાય જ્યારે તે વિધાનો મોક્ષમાર્ગને અનુકૂળ (આત્મત્તિક) હોય. એટલે કે જો તેમાં અનુબંધમાં પાપસ્વરૂપ બને તેવી જીવહિંસા વગેરેન વિધિ ન જ નિરુપવો જોઈ જો. તેમ થતાં વિસંવાદ આવે. - દરેક શાસ્ત્રમાં વિધિ પ્રતિષેધ તો હોય જ પરંતુ વિધિપ્રતિષધ આત્યંતિક રહે તો જ તે કષ શાસ્ત્ર કષશુદ્ધ ગણાય.
પરસ્પર બાધિત વિધિ-પ્રતિષેધનું શાસ્ત્ર કષશુદ્ધ ન ગણાય, દા.ત. એક શાસ્ત્રમાં કહ્યું છે કે કોઈ પણ એક જીવની હિંસામાં પાંચ વસ્તુની જરૂર પડે છે. (૧) પ્રાણીની, (૨) તે પ્રાણી છે એવા જ્ઞાનની, (૩) મારવાના અધ્યવસાયની (૪) મારવાના અધ્યવસાયવાળી ચેષ્ટાની અને (૫) પ્રાણનાશની. આ પાંચ ભેગા થાય ત્યારે એક જીવની હિંસા થાય.
હવે એ જ શાસ્ત્રમાં આ વિધાનથી પ્રતિકૂળ વિધાન કરવામાં આવ્યું છે કે જે જીવોને હાડકાં ન જ હોય તેવા નાના જીવોની તો એક ગાડા જેટલા જીવોની હિંસા થાય ત્યારે-માત્ર એક જ હિંસા ગણવી.
બેશક અહીં હિંસાદિ પાપનો પ્રતિષદ જરૂર સૂચિત થાય છે. પરંતુ એકવાર એક હિંસાને જ એક હિંસા ગણાવીને પછી અનેક જીવોની હિંસાને પણ એક જ હિંસા ગણાવીને પછી અનેક જીવોની હિંસાને પણ એક જ હિંસા ગણઆવતો વિરોધાભાસી પાપપ્રતિષેધ કર્યો છે. અહીં બેમાંથી એક પ્રતિષેધ તો અસત્ય છે જ. આ બાબત બિલકુલ અન્યાયસંગત હોવાથી તેવા શાસ્ત્રના પ્રતિષેધનું પાલન મોક્ષ ફલદાયી બની શકે તેમ નથી. માટે કષમાં પસાર ન થતું આ શાસ્ત્ર મોક્ષમાર્ગ બની શકે તેમ નથી.
હવે શાસ્ત્રોક્ત વિધિવાક્યને જોઈએ
એક શાસ્ત્રમાં કહ્યું છે કે, “જે સાધકો મર્દ નું ધ્યાન ધર્યા કરે છે તે આત્માઓ સંસારના તમામ બંધનોને કાપીને મોક્ષપદ પામી જાય છે.” મર્દ એ એવું મંત્રબીજ છે જેમાં તે વર્ગ, વ વર્ગ વગેરે આઠ વર્ષના છેડે રહેતો “ કાર છે, જેમાં વર્ગની