________________
વીર ! મધુરી વાણી તારી
ટૂંકમાં, સ્વર્ગાદિ અતીન્દ્રિય પદાર્થોની બાબતમાં આથમવચન જ પ્રામાણિક છે. જેમને શાશ્વતસુખના સ્વામી બનવું હોય તેમણે શાસ્ત્રવચનને જ પોતાની નૌકાનો નિર્યામક બનાવવો રહ્યો. એ વચનાનુસારી જીવન જીવનારા સાધકો જ પોતાની નૌકાને સંસારસાગરથી પાર ઉતારી શકે છે.
૭૨
બીજી બધી બાબતોમાં બીજું બધું ય કદાચ ચાલશે પણ મુક્તિમાર્ગની બાબતમાં તો એકમાત્ર શાસ્ત્રવચન જ આધાર બની શકશે. એ અતીન્દ્રિયપદાર્થોની બાબતોમાં બીજા કોઈની ગૂંજાયશ પણ જ નથી.
છતી આંખે, આંખ પાછળની પર્વતમાળાને ન જોઈ શકતો આંખેથી કદી ન દેખી શકે તેવા મોક્ષની વાતોનો ઈન્કાર કરવાનો અધિકાર જ પામી શકતો નથી.
છતી આંખે, આંખ સામે પડેલી ધોળી ચીજને ચોક્કસ ધોળી માનતો છતાં અંધાકરમાં કાળી જોનાર માણસ મોક્ષ ન દેકાવા માત્રથી અવગણી નાંખે તો તેને મરોલીની પાગલોની હોસ્પિટલમાં જ વહેલી તકે દાખલકરી દેવો એ જ સહુના હિતની વાત છે.
છતી આંખે આંખ સામે દેખાતા વિરાટ પર્વતને નાનકડા ટેકરા જેવડો દેખવો મન ન કબૂલે છતાંય - એવો માણસ મોક્ષની અનંતસુખ, અસાંયોગિક આનંદ, અનંતજીવનની વાતોનો ઉપહાર કરે. તો તેનો સહુએ ઉપહાસ કરીને બહિષ્કાર જ કરી દેવો જોઈએ. એવા ગાંડાંઓના ચેપ તો રોગીઓની દુનિયામાં જલદી ફરી વળે. ઘણાંના ભાવપ્રાણોનો વિનાશ થઈ જાય! માટે ચેતતો નર સદા સુધી!
અસ્તુ. જવા દો એ ઉપહાસની અને બહિષ્કારની વાતો.
આપણે એટલુ જ સમજી રાખો કે ભગવાન હિરભદ્રસૂરિજીએ ‘મહાદેવનિરુપિત શાસ્ત્ર મોક્ષમાર્ગનું જ પ્રતિપાદક હોય!' એમ કહીને આપણે મોક્ષાદિ પદાર્થોની બાબતમાં એવા શાસ્ત્રો જ પ્રામાણિક હોય એમ જ સૂચવ્યું એને જ આપણે સ્મરણમાં રાખીને આગળ વધીએ.
(૩) મહાદેવ નિરુપિતશાસ્ત્ર ત્રિકોટિ દોષર્જિત હોય ઃ પ્રથમ અષ્ટકના પાંચમા શ્લોકનું ચિંતન કરતાં આપણે મહાદેવ તિરુપિત શાસ્ત્રની બે લાક્ષણિકતાઓ વિચારી ગયા.(૧) તે શાસ્ત્ર મક્ષમાગનું જ પ્રતિપાદક હોય અને (૨) મોહાન્ધકારને ભેદી નાંખવા માટે દીપક સમું હોય.
હવે તે। શાસ્ત્રની ત્રીજી લાક્ષણિકતાને ધ્યાનમાં લઈએ,