________________
૭૦
વીર ! મધુરી વાણી તારી
હજી ગધેડાને માથે કદાચ શિંગડા ઊગશે! આજના વૈજ્ઞાનિકો શિંગડાવાળા ગધેડાનું ઉત્પાદન પણ કરી દેશે;
હજી કુમારિકા સ્ત્રી પુરુષ વિના પ્રસૂતિ કરશે. વૈજ્ઞાનિકોની સહાયથી...
હજી આકાશમાં કુસુમ ઊગશે... અવકાશયાત્રી માટેના આકાશમાં અદ્ધર ફરનારા ફલેગ-સ્ટેશનો ઉપર!
પણ વીતરાગ સર્વજ્ઞ કદી અસત્ય નહિ બોલે. વીતરાગનું શાસ્ત્ર અપ્રત્યક્ષ મોક્ષ માર્ગની સર્વથા સત્ય રજૂઆત જ કરશે.
વીતરાગના સેવકોના અંતરમાં એમનાં રોમ-રોમમાં લોહીના બુંદ-બુંદમાં આ વાત પરિણામ પામી ગઈ છે.
મોક્ષશાસ્ત્રમાં એમને કદી ક્યાંય કોઈ અક્ષરમાં ય અપ્રામાણ્યનો સંદેહ હોતો જ નથી. - દરેક સમયમાં જમાનાનો પવન થય છે અને એ પવન અને કોના જીવનમાં વિકૃતિ સર્જે છે. એવા વાયુમંડળનો ભોગ બનેલાઓ કેટલીક વાર આવેશમાં આવી જઈને શાસ્ત્રોની સામે પોતાની બુદ્ધિની લાકડાની બુટ્ટી તરવાર ઉગામી દે છે. - એવા કેટલાક કહે છે કે, “જ્યારે પ્રત્યક્ષ બાબતોમાં પણ કહેનારો માણસ થાપ ખાઈ જાય છે અને તેના વિધાનની અપ્રામાણિકતા જાહેર થાય છે ત્યારે મોક્ષ જેવી અપ્રત્યક્ષ વાતોને કહેતું શાસ્ત્ર પણ તે વિષયના નિરુપણમાં થાપ ખાઈ જાય એમાં શી નવાઈ ?
સામે જ સાપ પડયો હોવા છતાં કોઈ માણસ તેને દોરડું કહી દે છે ને?
દૂર દૂર ઝાંઝવાના જ જળ હોય છતાં તેને સાચા પાણી માની લેવામાં નથી આવતાં ?'
શાબાશ. અશ્રદ્ધાના આવેશમાં કેવો ગોળો ગબડાવી મૂક્યો! આવા શ્રીમાનો જગતમાં બુદ્ધિમાનું અને ધીમાન્ તરીકે પંકાયા હોય છે! આ જુઓ એમની બુદ્ધિમત્તાનું પ્રદર્શન!
જો આ રીતે પ્રત્યક્ષ વિધાનો પણ અપ્રામાણિક બની શકે તો તો એવા બુદ્ધિમાનને કોઈ “સજ્જન શાહુકાર' કહેતો હોય તો તેનું વિધાન પણ અપ્રામાણિક ગણી શકાય ને! ભલે પછી વ્યવહારમાં તે સાચે જ સજ્જન શાહુકાર હોય!
એક સ્ત્રીને કોઈ સ્ત્રી કહે તે વિધાન પણ અપ્રામાણિક કહેવાય ને? સંભવ છે