________________
| |_
વીર ! મધુરી વાણી તારી
કર્મના બીજ વિના જન્મના અંકુરા કયાંથી ઉત્પન્ન થાય? શીલવતી કુમારિકા પુત્ર-પ્રસૂતા શી રીતે બની શકે ?
રે! જન્મનો અંકુર તો તે કર્મ-બીજ ઉત્પન્ન કરે છે જે અજ્ઞાનની ધૂળમાં દટાએલું છે, જેની તાકાત હજી જીવતી-જાગતી જોગણ જેવી છે અને જેની ઉપર તૃષ્ણાના નીર સિંચાઈ રહ્યા છે.
સર્વ કર્મના સર્વ અણુઓને બાળીને એની ભસ્મ કરી દઈને ભગવાન બનેલા આત્માઓને કર્મનું તાકાતવાન બીજ જ ક્યાં છે? અજ્ઞાનની ધૂળ ક્યાં છે? તૃષ્ણાનાજલ ક્યાં છે?
એ બીજ, એ ધૂળ અને એ જલ વિના ય જન્મનો અંકુર ફુટી જાય! કેવી અસંભવિત વાત!
| શિષ્ટજનોમાં કેટલું હાસ્યાસ્પદ વિધાન! છતાં માની લઈએ કે આ રીતે કોઈ અશુભ જન્મના અંકુર જાણે છે. મરઘી ઈંડાને જણે તેમ..
પછી તેથી તો એ આત્મામાં કર્મનું બીજ, અજ્ઞાનની ધૂળ અને તૃષ્ણાનું જલ માની જ લેવું પડશે ને! કેમકે બીજ, ધૂળ અને જળ વિના અંકુર ત્રિકાળમાં કુટી શકતો નથી!
હવે જો આમ તે આત્માઓ પણ કર્મબીજાદિથી યુક્ત હોય તો તેઓ આપણા જેવા જ બની ગયા. પછી એ દેવોમાં મહાનતા શી? એમને મહાદેવ કેમ કહી શકાય?
મલિનમાંથી નિર્મળ બનવાની આરાધના એ જ આરાધના છે?
નિર્મળમાંથી જો પાછું મલિન બનવું પડતું હોય તો એવી નિર્મળતાને કોઈ ન ઈચ્છે!
એવા મોક્ષાપદને તો બાર ગાઉ છેટેથી જ નમસ્કાર!
(૩) શરીર મુક્તિઃ જેઓનો ત્મા સંસારથી સર્વથા પર થઈ ગયો છે તેઓને મહાદેવ તો ત્યારે જ કહી શકાય જ્યારે તેઓ શરીરમુક્ત હોય.
આ શરીર જ સર્વ દુઃખનું મૂળ છે. શ્રી સૂયગડાંગસૂત્રમાં કહ્યું છે કે આજ સુધીમાં જીવ જે કોઈ દુઃખ પામ્યો હોય તે બધાયના મૂળમાં શરીરનું મમત્વ જ કારણ બન્યું છે. શરીરના મમત્વમાંતી સકળ સંસારનું જાળું જીવ-કરોળિયાની ચોમેર વીંટળાઈ વળ્યું અને એના તંતુના મમત્વે જ એને પરેશાન કરી મૂક્યો છે.
શરીરનું મમત્વ મનને થાય છે. માટે શરીર અને મન-બે-ભેગા મળીને સર્વ