________________
વીર ! મધુરી વાણી તારી
પછી તો એવા તુચ્છ સુખો અને એના સાધનો પ્રત્યે એને નફરત જાગે, એની પાછળ થતી આજીવન મજૂરી એને ત્રાસ રૂપ બને. એ સુખો ખાતર વહી જતાં લોહીના આંસુ એની નજરે ચડતાં પોતાની કરૂણતા ઉપર એ નિસાસા નાંખે.
પત્તાનો મહેલ મહામહેનતે ઊભો થોય ન થોય. ત્યાં જ યમરાજે એક ટૂંક મારી.
૪૯
કડડડડભૂસ કરતો એ તૂટી પડયો.
ફરી નવી દુનિયા... નવી વાત... નવી મહેચ્છા... નવો સંસાર.
પત્તાનો મહેલ મહામહેનતે ઊભો કર્યો ન કર્યો ત્યાં ફરી યમરાજે એક ફૂંક મારી.
કડડડભૂસ કરતો એ તૂટી પડયો. ફરી નવી દુનિયા.
હાય! કરૂણતા સંસારના સુખોની! એ સુખો પાછળ પાગલ બનેલ જીવોની! આટલું જ સમજો. રોજ નજરે લાવો એ રંગ બેરંગી પત્તાનો મહેલ... ચણાયો અને પડયો...
પછી તમને કદી નહિ ગમે આવી બાલિશ પ્રવૃત્તિ! બાળ પણ ધૂળિયો મહેલ ઊભો કરીને પાડે છે! તો પ્રૌઢ પણ બાળ જ કહેવાય ને!
સંત બનનારનો આત્મા પૌદ્ગલિક આનંદોના આ ક્ષણક્ષણ વિનાશી સ્વરૂપને
પકડી પાડે છે : અને એથી જ એનાથી ઉદાસ થઈ જાય છે.
પછી આપમેળે છૂટતા જ જાય છે એ પુદ ગલોના સંબંધો ! બદા ય સંબંધ તૂટતા જ જાય છે.
નથી છૂટતો સંબંધ માત્ર દેહનો !
પરંતુ એ ય વિનાશી, અશુચિ છે એમ જાણીને એની મમતા પારાની જેમ વેરાઈ જાય છે.
બૌદ્ધ મતનો એક પાયાનો સિદ્ધાંત છે કે જે કોઈ વસ્તુ સત્ હોય-જગતમાં કયાંય પણ વિદ્યમાન હોય તે વસ્તુ ક્ષણિક જ હોય. આ સિદ્ધાંતને ચુસ્ત રીતે જેઓ પકડી રાખે છે તેઓ આત્માને અને તેના પોતાના સુખને પણ ક્ષણિક જ માને છે.
પરંતુ આવો ચુસ્ત સિદ્ધાંત બરોબર નથી. વસ્તુતઃ તો જગતની કોઈ પણ ચીજ સર્વથા ક્ષણિક છે જ નહિ. એટલે કે ઉત્પન્ન થતાંની સાથે તરત જ નાશ પામી જાય એવી ોત જગતની કોઈ પણ ચીજ નથી. કેમકે વસ્તુમાત્ર જેમ ઉત્પન્ન થાય છે તેમ