SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ વીર મધુરી વાણી તારી અનુમાન સુતરાં કરી શકીએ છીએ. ઠીંગણો માણસ લાંબા માણસનું દર્શન કયાં નથી કરી શકતો? તાવ વિનાનું થર્મોમીટર તાવવાળા માણસનો તાવ ક્યાં નથી માપતું? દમનો દર્દી ડૉક્ટર દમિયનલ દર્દીનોદસ ક્યાં ભગાડી નથી મૂકતો? ભાગ્યહીણઓ આંકડા કાઢનારો, આંકડા કાઢી આપીને અનેકોને ભાગ્યવંતા ક્યાં નથી બનાવતો ? ઠંડુ સૂર્યવિમાન સમગ્ર વિશ્વને ઉષ્ણતા ક્યાં નથી દાખવતું? જે વીતરાગ બન્યા તે સર્વજ્ઞ બને જ. સર્વજ્ઞ એટલે સર્વજ્ઞ, હા. જરૂર સર્વ. બાબતોના જાણકાર. એક વાતના પૂર્ણ જાણકાર સુમંતશાહ કે આલ્બર્ટ આઈન્સ્ટાઈનને રે! ભગવાન હેમચન્દ્રસૂરિજીને પણ અમે અમારા શાસ્ત્રોક્ત પરિભાષાના સર્વજ્ઞ નથી કહેતા. જેઓ જે રીતે પોતાના સર્વજ્ઞ કહેવડાવવા મથથા હોય તેઓ આ વિધાનથી હતાશ થશે... પણ નાઈલાજ. તે માટે સર્વજ્ઞત્વની શ્રદ્ધાવાળા અમે અત્યંત દિલગીર છીએ. ત્રીસમાં કેવળજ્ઞાન-અષ્ટકમાં હજી વધુ વિચાર આપણે કરીશું. ભવાતીત અવસ્થા સંપન્ન મહાદેવનું સ્વરૂપ એક અપેક્ષાએ આપણે વિચાર્યું કે પ્રથમના બે શ્લોકમાં સંકલેશજનક રાગનો, શમનાશક દ્વેષનો અને જ્ઞાન અને આચારને વિકૃતકરનાર મોહનો જેમના છદ્મસ્થભાવના જીવનમાં પણ અભાવ છે તેમને તે અવસ્થામાં મહાદેવ કહેવાય. ભગવાન મહાવીરને બેતાલીસ વર્ષની ઉંમરે કેવળજ્ઞાન થયું. ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થજીવન જીવ્યા ત્યાર પછી સંસારનો પરિત્યાગ કર્યો અને બાર વર્ષ સુધી ઘોર સાધના કરી. આ બેતાલીસ વર્ષનો તેમનો જીવનકાળ છDભાવનો કાળ કહેવાય. (છમ એટલે સંસાર) આ કાળમાં તેમનામાં રાગાદિભાવોનો ઉદય જરૂર હતો છતાં તેઓના તે રાગાદિભાવો સંકલેશ વગેરેના જનક તો ન જ હતા માટે જ એ કાળમાં પણ તેમને મહાદેવ કહેવાય. બેતાલીસ વર્ષની ઉંમરે તેઓ વીતરાગ બન્યા. અને સર્વજ્ઞ થયા. હવેના તેમના જીવનના શેષ ત્રીસ વર્ષ એ તેમનો ભવસ્થ કેવલી (જીવનમુક્ત) દશાનો સમય કહેવાય. આ દશમાં તેઓ વીતરાગ હતા અને સર્વજ્ઞ હતા માટે એમને મહાદેવ
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy