SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ વીર ! મધુરી વાણી તારી કહી દીધી? આજના વૈજ્ઞાનિકોને જે વાતોને પ્રામાણિત કરતાં દસકાઓના દસકાઓ અને અનેક પેઢીઓ ડુબાડી દેવી પડી તે વાતને સમવસરણની દશનામાં એમણએ શી રીતે વહેતી મૂકી દીધી? આ ઉપરથી જ સાબિત થઈ જાય છે કે ભગવાન મહાવીર અને એમના જેવા તમામ જિન-ભગવંતો સર્વજ્ઞ જ હતા, જગતના સર્વ પદાર્થોને અને સર્વ પર્યાયોને તેઓ આંખે આંખ જોઈ શકતા હતા. જેમ હું હમણાં મારી ફાઉન્ટનપેનને કે કાગળ ઉપર લખાતા અક્ષરોને આંકે આંખ જોઈ રહ્યો છું. આમ અનેક અનુમાનોથી વીતરાગ ભગવંતોમાં પ્રગટ થતાં સર્વજ્ઞત્વગુણને આપણે માન્ય કરી શકીએ છીએ. વળી બીજી પણ એક વાત છે કે જ્યારે પર્વતમાંથી નીકળતાં ધૂમાડાને આપણે આંખે આંખ જોઈને પર્વતની તળેટીમાં રહેલાં આપણને ન દેખાતાં અગ્નિના અસ્તિત્વનું અનુમાન કરીએ છીએ ત્ારે અહીં એક વાત તો નક્કી જ થઈ જાય છે કે ગમે તે જગાએ ગમે તે કાળમાં કોઈ માણસે ધૂમાડો અને અગ્નિ બે ય ને આંખે આંખ જોયા જ હોવા જોઈએ. અગ્નિમાંથી ધુમાડો નીકળતો આંખે આંખ વારવાર જોવાય ત્યારે જ દુનિયામાં એ વાત સ્થિર થાય કે જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. હવે ભલી પછી આપણે પર્વતનો ધુમાડો જ જોઈએ અને અગ્નિ ન જોઈએ છતાં ધુમાડા ઉપરથી જ અગ્નિનું અનુમાન કરી શકીએ. - આ જ રીતે શાસ્ત્રોક્ત વાતો આજે સિદ્ધ થઈ જાય છે એટલે એ ઉપરથી એ વાતોને કહેનારા ભગવાન જિનોના આત્માની સર્વજ્ઞતાનું આપણે અનુમાન કરીએ છીએ. આમ આ વાત ઉપરથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે એવા કેટલાય આત્માઓ થયા હશે જેમણે એ વાતો અને એ સર્વજ્ઞતા બેયનું પ્રત્યક્ષ દર્શન કર્યું હશે. આ રીતે બન્ધ, પરલોક મોક્ષ વગેરે અતીન્દ્રિય પદાર્થોનું આપણે અનુમાન કરીએ છીએ પણ તે બધા ય અતીન્દ્રિય પદાર્થોનું અનેક આત્માઓને તો પ્રત્યક્ષ થયું જ હતું. તે વિના આ અનુમાન આપણે ન જ કરી શકીએ. ટૂંકમાં જે અપ્રત્યક્ષ પદાર્થનું આપણે અનુમાન કરીએ તે અપ્રત્યક્ષ પદાર્થ કોઈને તો પ્રત્યક્ષ હોવા જ જોઈએ. આપણને અપ્રત્યક્ષ પર્વતીય અગ્નિ, પર્વતીય પ્રદેશમાં રહેનારા માણસોને પ્રત્યક્ષ હોય છે તેમ આ સિદ્ધાંત ઉપર જ આ વિચારણા આધારિત છે. આમ સર્વજ્ઞત્વના જ્ઞાનવિજ્ઞાન વિનાના આપણે ભગવાન જિનની સર્વજ્ઞતાનું
SR No.008947
Book TitleVeer Madhuri Vani Tari
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size572 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy