________________
| |_
વીર ! મધુરી વાણી તારી
ઉપર એને વિશ્વાસ હોય તો બધું ય સત્ય કલ્પી શકાય. પણ એ વિશ્વાસ જ જ્યાં ન હોય ત્યાં શું?
અહંકારગ્રસ્ત આત્માઓ બીજાઓની મહાનતાને આંબી શકવા અસમર્થ હોય છે. એમનું વામન સ્વરૂપ અને પેલું, વિરાટ સ્વરૂપ – આ બે વચ્ચેનું અંતર એમનો અહં કદી પામી શકતો નથી. નથી તેમનામાં વામનમાંથી વિરાટ બનવાનું કૌવત.
છે માત્ર ‘વિરાટ’ તરીકે પૂજાવાની ખોટી દાનત. અને તેથી જ જો વામન વિરાટ ન બને તો “વિરાટ પણ મારા જેવડો જ હતો.' એમ કહીને પોતે વિરાટની પૂજા મેળવી લેવી.’ ૩ આવું છે અહંની દુનિયાનું વિજ્ઞાન!
જવા દો એ વાતોને.
સો વાતની એક જ વાત. કે જો જગતમાં અજ્ઞાનની તળેટી દેખાતી હોય તો જ્ઞાનનું સર્વોચ્ચ શિખર સ્વીકારવું જ રહ્યું.
ન દેખાય માટે ન માનવાની વાત તો તાર્કિકોની દુનિયામાં પળભર પણ ઊભી રહી શકતી નથી. એવી વાતોના ઉપર તો સો મેગાટનના સો સો એટમબોમ્બ એક સાતે ત્રાટકે ચે; અને ભૂક્કા બોલાવી દે છે એવી વાતોના પોલા પહાડી દેખાવના.
એટલે જ એવી વાતો કરનારને છેવટે ન દેખાતાને ય અનુમાનથી પ્રામાણિક કરવાની વાત માનવી જ પડે છે.
કોડી જેવડી આંખો વગેરે.... દેખીને ય કેટલું દેખી શકે? અણુ જેવડું કહેવાતું મન તો પહાડના ય અનુમાન કરી શકે અને પહાડની પેલે પારની ય વાર્તા કરી શકે. આંખેથી દેખે છે પહાડમાંથી નીકળતા ધુમાડાને. પણ મન કહી દે છે પહાડથી પેલે પારની તળેટીમાં ભભૂકતા અગ્નિની ન દેખાતી વાત.
‘ન દેખાતું ન માનવું કહેનાર પણ ન દેખાતાં એ અગ્નિને માટે જ છે.
શાબાશ. તો પછી ન દેખેલા સર્વજ્ઞતા ગુણને પણ એમની વાતોથી કેમ માની ન શકાય?
વિજ્ઞાન અને ધર્મ'નામું એક પુસ્તક મેં લખ્યું છે જેમાં અઢી હજાર વર્ષ પૂર્વે જે વાતો ભગવાન જિનેશ્વરોએ કહી હતી તેમાંની ૪૦ થી ૫૦ વાતોને આજના વૈજ્ઞાનિકો છેવટે કબુલવા લાગી ગયા છે એ વાત મેં ઘણા પુરાવાઓ સાથે સમજાવી છે. અને એ ઉપરથી એ વાત સ્થિર કરી દીધી છે કે જે ભગવાન મહાવીર પાસે કોઈ વૈજ્ઞાનિક લેબોરેટરી ન હતી, કે ન હતું દૂરદર્શક દૂરબીન! અંગ ઉપર એક ચીંદરડી પણ ન હતી છતાં એમણે એવી અગણિત રહસ્યમયી વાતોને વાતવાતમાં શી રીતે