________________
વીર ! મધુરી વાણી તારી
દૂર થતાં જતાં રત્નના મળનો પણ એ જ અગ્નિ સંપૂર્ણ નાશ કરી દે છે.
તો આત્માને જે અલ્પજ્ઞાન જોવા મળે છે તે તેની ઉપર જામેલા જ્ઞાનાવરણીય નામના કાર્મિક પુદ્ગલોના જથ્થાના અલ્પનાશને આભારી છે. પણ પૂર્ણનાશ ત્યાં નથી માટે પૂર્ણજ્ઞાન જોવા મળતું નથી.
માટે જ પોતાની ગરદનની પાછળ ઊભી રહેલી વેસ્ટમિનીસ્ટર એબીની રાક્ષસી ઈમારતને તે જોઈ શકતો નથી.
માટે જ આંખની જ સામી દિશામાં દૂર દૂર આવેલી કંચનજંઘાની પર્વતમાળાને એ જોઈ શકતો નથી.
માટે જ નાયગરાના ધોધની પછડાટમાંથી ઉદ્ભવતા કાન ફાડી નાંખે તેવા પડછંદા, ઊંટ જેટલા મોટા કાને સાંભળી શકતો નથી.
પગલે પગલે નિધાનો દટાયાં છતાં તેને જાણી શકતો નથી.
મકાનના પાયામાં વેપારી તેલનો વિરાટ કૂવો છુપાયો છે છતાં પકડી શકતો નથી. - કાશ્મીરના કેસરના લકીચાની ચોમેર ધસતી ગંધકણોની સુગંધ માણી શકતો નથી.
જેવી આપત્તિઓ અજ્ઞતાની, વણમાગી લાવે છે જ્ઞાનાવરણીય નામનું કર્માવરણ; તેવી જ વિવિધ મુશ્કેલીઓ ઊભી કરે છે બાકીના સાતે ય કર્માવરણો.
પણ આ કર્માવરણો થોડો પણ વિનાશ પામે છે એ હકીકત છે.
માટેસ્તો સગી આંખે એક માતા પોતાના યુવાન લાડકા પુત્રના ગળે થયેલી કેન્સરની જીવલેણ ગાંઠમાંથી વહેતી રસીનું દર્શન કરી શકે છે.
માટેસ્તો શૌચવિધિ કરતો માણસ વિષ્ઠાની ગંધને દુર્ગધ કહેવાનું જ્ઞાન પ્રાપ્ત કરે છે.
માટેતો જી ઉપર પડતી કવીનાઈનની ભૂકીને “કેપસ્કૂલમાં ભરીને આપવામાં આવે છે.
માટેસ્તો સર્જરીના વિજ્ઞાનમાં “ક્લોરોફોર્મ'ની અનિવાર્ય આવશ્યકતા કબૂલવામાં આવી છે.
ભલે... એ બધી માહિતીઓ સાતે આપણને કશી નિસ્બત નથી. વાત એટલી જ છે કે જો આ રીતે કર્મના આવરણો અલ્પ પણ વિનાશ પામી